SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] પ્રભાવિક પુરુષ : રાત્રિદિવસ ભગવિલાસમાં ભ્રમર જેવું જીવન ગાળનાર શાલિભદ્રને શ્રેણિક શું ચીજ છે એનું ભાન ક્યાંથી હાય ? તે સમજ્યું કે કાઇ ક્રય-વિક્રયની વસ્તુ હશે, એટલે તરત જ જવાબ આપ્યા કે—“ માતાજીને જણાવા કે એમાં મને પૂછવાની શી આવશ્યકતા છે ? શ્રેણિક આવ્યા છે તેા ખરીદ કરી વખારમાં નાખા.” ભદ્રાએ ભૂલ સુધારી. તરત જ અનુચરને પાછા વાળી સ્ફાટ કયે કે-“ શ્રેણિક એ કરિયાણું નથી, પણ મગધદેશના નાથ અને આપણે જેના રાજ્યમાં વસીએ છીએ તે આપણા સ્વામી-રાજવી છે. તે ખાસ તને મળવા પધારેલ છે, માટે સત્વર નીચે આવી જાએ.” ‘ મારે માથે પણ ઉપરી સત્તા છે” એવા ખ્યાલ શાલિભદ્રને આજે પહેલી જ વાર આવ્યેા. એથી એની આંખ ખુલી ગઇ. તે ચેાગ્ય પાશાક ધારણ કરી ત્રીજી ભૂમિકાએ આવ્યા. રાજાએ રૂપમાં મદનમૂર્તિ સમા કુંવરને નિહાળી, પ્રેમથી ભેટી, સ્વઅંકમાં સ્થાપ્યા. અલ્પકાળમાં તે પરસેવાથી કુંવરનું શરીર આર્દ્ર બની ગયું. પૃથ્વીપતિની સ ંમતિ લઇ તરત જ તે સમભૂમિ પર પાછે સિધાવી ગયા. આવી કામળતા ને સુખસાહેબી જોઇ ભૂપને તેના પૂર્વ પુન્યની અદેખાઇ આવી. પેાતાના રાજ્યમાં આવા પણુ પુણ્યવત વસે છે એ માટે માન ઉપજ્યું. ભદ્રાશેઠાણીને ત્યાં જ લાજન લઇ પાછા ફરતાં મુદ્રિકાની વાત યાદ કરવામાં આવી. તરત જ જ્યાં પ્રતિદિન ઊતરતાં નિર્માલ્ય આભરણેાના સંગ્રહ કરવામાં આવતા હતા એ કરડીએ હાજર કરવામાં આવ્યેા. દિવ્ય મણિએના સમૂહમાં જાણે એકાદા કાચના ટૂકડા ન હૈાય એવી ભૃપની વીંટી તેમાં એક ખૂણા પર દષ્ટિગાચર થઇ. જ્યાં પ્રતિદિન આવા વ્યવસાય ચાલુ હાય ત્યાં સવાલક્ષની રત્નક બળના શા હિસાબ ? રાજા તેા સિધાવી ગયા, પણ તે એક ઉચ્ચ પ્રતિની યાદગીરી મૂકતા ગયા. એનાથી શાલિભદ્રનુ આખુ ય જીવન પલટાઇ ગયું.
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy