SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ રાજર્ષિ કરકંડૂ ઃ [ ૧૫૫] છતાં હું રાજપુત્ર છું એ તે હું પણ આજે જ જાણું છું. જે આટલી જાણ પ્રથમથી જ હોત તો સાધુયુમે જે કાષ્ઠદંડને રાજ્ય દેનાર તરિકે વર્ણવ્યા અને મેં જે દ્વિજપુત્રના હસ્તમાંથી ઝુંટવી લીધો ત્યારે દત્તપુરના મહાજન સમક્ષ મારા ચંડાળ પિતાને ખોળા પાથરવા પડ્યા તે સમયે જ તેમ ન કરતાં જણાવી દીધું હેત કે–વીરભેગ્યા વસુંધરા” એ ઉક્તિ અનુસાર હું રાજબીજ છું ને કારણવશાત્ ચંડાળગૃહે ઊછરી રહ્યો છું, છતાં એ દંડ ભિક્ષાત્ર પર જીવન નિર્ભર કરનાર બ્રાહ્મણપુત્રને હસ્તમાં ન રહી શકે, એને ધરનાર તો મારા જેવા ક્ષત્રિયકુલેત્પન્ન અને માગવા કરતાં મરવું પસંદ કરનાર રાજપુત્ર જ હોઈ શકે. એની જ એમાં માલિકી હોય! સિંહણના દૂધ માટે માટીનું વાસણ નથી ચાલી શકતું, તેને તે સુવર્ણ પાત્રની જરૂર પડે છે, કેમકે તેમાં વસ્તુને જીરવવાની શક્તિનો પ્રશ્ન પ્રથમ વિચાર પડે છે. પણ સાધ્વીમૈયા! તમારી ગુપ્તતાએ મારા ચંડાળપણને આગળ આપ્યું. મહાજને ચંડાળ એટલે હલકટ-નીચ-પાપી–બૂરા કામ કરનાર અને ત્યાં રાજ્યદાયક દંડ સંભવી જ ન શકે. એ ચૂકાદો આપે. ચંડાળકુળમાં જન્મ્યા છતાં ઉત્તમ રીતે જીવન જીવી શકાય છે, અગર તો સારા સંસ્કારથી અધર્મના કાંઠે અવતરેલ માનવી ધમ પણ થઈ શકે છે એ અપવાદ સરખો પણ ન સ્વીકારાયો. બસ એક જ વાત પકડી રખાણ. બ્રાહ્મણ એટલે સર્વ વર્ણોમાં ગુરુ તુલ્ય. ભલે પછી તેના આચરણનું ઠેકાણું ન હોય, ભલેને “બ્રહ્મ ચરતીતિ દ્રાક્ષ” એ વ્યાખ્યા નેવે મૂકાણું હોય. માતા ! આ જાતના ન્યાયથી જે ભૂમિ પર મારા ચંડાળ પિતાએ સારું ય જીવન વિતાવેલું, જે જ્યાંના હવાપાણીથી પષાઈ સ્વજનવર્ગમાં જિંદગીને માટે ભાગ પસાર કરેલો એ બધાને મારે માટે અને મારી પાસેના કાષ્ઠદંડ માટે એકાએક છેડી
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy