________________
૧૮૬ કે ધન-માન મેળવવા દુષ્ટતા ન આચર, દિલ જ દુષ્ટ ન બનાવ.”
દિલની દષ્ટતા શી? એ સમજે છે ને? દિલ બહુ વિષયલંપટ કે કષાયાવેશવાળું બને, એને દિલની દુષ્ટતા કહેવાય. આજે સિનેમા જેવાની લત લાગે છે એ શું છે? આંખના વિષયની લપટતા. એ દિલની દુષ્ટતા છે. આશ્ચર્ય છે કે આજની સ્ત્રીઓને આની લત લાગી છે! દુષ્ટતા કયાં સુધી પહોચી ? આર્યદેશની કુલીન બાળાઓ તે વિષયલંપટ પતિની સંપટતાને કાબૂમાં રાખનારી હોય એટલી એની ઊંચી કક્ષા. તે શું એ પોતે જ લંપટ અને દુષ્ટ બનવાની અધમ કક્ષામાં દેડે ?
એકલા સિનેમા જ શું, પણ વિલાસી વાંચન, અભક્ષ્ય ભક્ષણ, હોટેલમાં ભટકવાનું, ઉદુભટ વેશ, પફ-પીમેડ આદિ મજશેખ, બાથમાં સ્નાન, કલબ સોસાયટી વગેરેની લત, એ બધું વિષયલંપટતા જ છે, દિલની દુષ્ટતા જ છે. એમાં કાંઈ દિલની પવિત્રતા ન ગણાય, સ્વસ્થતા–શિષ્ટતા ન ગણાય. આ દુષ્ટતામાં જીવ કયારે હારવાને થાકવાને ? કશું નહિ, એ તે જીવનભરની બલા વળગી તે છોડે શાને ? ત્યારે પૂછો -
પ્ર- ઘર્મ ન બચાવે ?
ઉ- આજે દેખાય છે ને ધર્મ વધે છે, પર્યુષણામાં તપસ્યાઓ, 3છરામણીઓ ઓળીઓ, એચ્છ,ઉપધાન, યાત્રાઓ, વગેરે ધર્મ પ્રવૃત્તિ સારી વધી છે. છતાં એ કરનારનાં જીવન દેખે.
જશેખ ઘટ્યા? સિનેમા બંધ થયા ? અભક્ષ્ય કે ટેસદાર ભઠ્યભજન ઓછા થયા? હરવા–ફરવાનું, પરસ્ત્રી–પરપુરુષના દર્શન–મિલન-વાતચીતે, રાત્રિભૂજન, તિથિની વિરાધના,