________________
ર૬. દુષ્ટતા અને ધન મ
ત્યારે શુ જોગણ હારી થાકીને પાછી જાય એવી છે ? ના, દુષ્ટ માણસા ચાલે ત્યાં સુધી દુષ્ટતામાં હારતા થાકતા નથી. સંગમદેવનું ચાલ્યું ત્યાંસુધી મહાવીર પ્રભુ પ્રત્યે દુષ્ટતા કયે ગયા.
કાલસૌકરિક કસાઇને રોજ ૫૦૦ પાડા મારવાની આદત; તે શ્રેણિક રાજાએ એની આ ઘેર હિંસા બંધ કરાવવા એક વાર એને કૂવામાં ઊંધે મસ્તકે લટકાવ્યેા. તે શું એણે હિંસની દુષ્ટતા મૂકી ? ના, ત્યાં પણ એ ટેડાથી કૂવાની દિવાલ પર પાડા ચીતરી હાથેથી એના ગળા કાપવા લાગ્યા.
અગ્નિશર્માના જીવ જન્મે જન્મે સમરાદિત્યના જીવની પાછળ પડયા. તેમ કમઠ ભાઇ મરુભૂતિ તે પાર્શ્વનાથ ભગવાનના જીવની પૂંઠે સર્વ ભવે ઉપસર્ગ કરતા લાગ્યા. એ તે બ ંનેનું અંતે ચાલ્યું નહિ, ત્યારે પાછા પડયા, અને એ દુષ્ટતા મૂકી. તાય અગ્નિશમાં અનંત સંસાર ભટકવાના, એમાં શું દુષ્ટતા અંધ થયેલી ? ના ના, તે તે અન તે કાળ શાને ભટકે ?
આ પરથી સમજવા જેવુ એ છે કે દુષ્ટતાનેા ચીલે। ભય કર ! એકવાર દુષ્ટતા કરવાના માર્ગે ચડયા, પછી પાછા વળવાનું મુશ્કેલ છે. માટે દિલને દુષ્ટ બનાવતા પહેલાં જ વિચારવાનુ કે ‘આ દુષ્ટતાનું પછી પૂછડું લખાશે એ તને પાલવશે ? કાં સુધી દુષ્ટતા કર્યે જઈશ? અને એના ભયંકર દુઃખદ પરિ ણામ કેવાં ? અહી ઘેાડી તકલીફ પડતી હાય, ધન-માન ઓછાં મળતા હોય, એ બધું ચલાવી લે, લાભ જતા કર, પણ તકલીફ ટાળવા