________________
૧૧૮
બેલે, સસરે દીકરાઓની વહુઓ સામે જોયા કરે એમાં શેભે ? કે સામે સહેજ પણ આંખ ન લઈ જાય એમાં શેભે? શોભા શામાં કુટુંબને વડેરે ઘી-દૂધમાલ પિતાનાં ભાણે ભરે એમાં ? કે કુટુંબનાં ભાણે ભરે એમાં ? જરાક જરાકમાં નાનડિયા પર રોષરેફ કરે એમાં ? કે એમની ભૂલભાલ ખમી લઈએમના હેત-સભાવ વધારે એમાં ? સજને અને મહાત્માઓ કેમ પૂજાય છે? સ્ત્રીઓ સામે નજરે નાખે એથી? કે મોટું નીચું કરી દઈ લેશ પણ મટકું ન મારે એથી? કોધી અભિમાની બને એથી ? કે શાંત ક્ષમાશીલ અને નમ્ર-મૃદુ બને એથી ?
શેભા-પૂજા-વડાઈ ગુણેનાં કેળવવામાં છે, પણ નહિ કે દેશે પોષનારી નિઃસર્વતા રાખવામાં.
અનંતા જનમ એવી નિસત્ત્વ-મુડદાલ સ્થિતિ રાખી રાખી દેષ-દુષ્કૃત્ય-દુર્ભા પિળે રાખ્યા; તે શું અહીં પણ એ જ ચાલુ રાખવાનું ? સર્વ કેળવવાનો આ મહાન જનમ મળે છે, તો હવે સત્ત્વ જ કેળવું – આ નિર્ધાર થાય, તે સત્ત્વ કેળવાય.
કનકરને સત્ત્વ જાળવવાને પ્રયત્ન છે. તેથી કન્યાની સામે ન જોતાં કે એના અંગે કશું ન પૂછતાં તાપસને વૈરાગ્ય અને ત્યાગનું પૂછે છે. ષિના ખુલાસા પર રાજકુમાર કનકરથના સમાજમાં આવી ગયું કે “સંસાર પર વૈરાગ્ય થયા પછી વિશિષ્ટ વીર્ય સત્ત્વ ફેરવવામાં આવે તો જ સંસારને ત્યાગ થઈ શકે.”