________________
૧૯. રષિદત્તાનું લગ્ન કુમારને તાપસ કન્યા સ્વીકારવા કહે છે –
હરિષણ તાપસને ચિંતા છે કન્યાની કે,–“હવે ઉંમરમાં આવેલી એને કયાં વરાવવી?” એમાં અહીં પહેલાં આ રાજકુમારને સારો પરિચય મેળવ્યું છે, તેથી તે એને બધી વાત કરી. તેમજ વિશેષમાં એના વિવેકભર્યા બેલ સાંભળ્યા એટલે તાપસન મનને એમ થાય છે કે, કન્યાને ક્યાંક દેવાની તે છે જ, તે સહેજે સહેજે અહીં મળી ગયેલ આવા વિવેકી સગુણી અને સુગ્ય રાજકુમારને જ કાં ન દેવી ? દઈ દઉં એટલે મારા માથેથી આ ભાર ઊતરી જાય.”
એમ વિચારીને રાજકુમારને કહે, “કુમાર ! તમે અમારા મેમાન બન્યા છે, તેથી મેમાનની ભક્તિ કરવા માટે આ કન્યા તમને દેવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે તમે એ સ્વીકારી લેશે; ન નહિ પડે.”
યુવાનીના રંગ જુદા છે. કુમાર રુકિમણીને પરણવા નીકળે છે અને આ માગણ પર હવે કન્યા તરફ જવાનું થાય છે, અને જોતાં ચિત્તમાં એના તરફ રાગ ઊછળે છે. ઋષિ–કન્યાને પણ પિતાની માગણી સાંભળતાં અને કુમાર પર દૃષ્ટિ પડતાં એક બાજુ રાગનું આકર્ષણ ઊભું થાય છે, અને પિતાના બેલ પર બીજી બાજુ લજજાથી એનું મુખ નીચું નમી પડે છે.
રાજકુમાર કનકરી જુએ છે કે “પિતાને આગ્રહ