________________
૧૧૭
ખીજા ડાચરા ચલાવ્યા કરવા હાય પણ મહાપુરુષોનાં સત્ત્વભર્યાં પ્રસંગે નહિ તે પછી સત્ત્વ કયાંથી પ્રગટે?
(૩) સત્ત્વ કેળવવા માટે વળી એક આ ઉપાય છે કે જગતની કેટલીક વસ્તુ સામે જોવું કે એ મહાઆપત્તિમાં પણ કેવું સત્ત્વ દાખવે છે! દા. ત. ચંદનને ગમે તેટલું ઘસા એ શીતલતા જ આપે. એને ગમે તેટલું ખાળે એ સુવાસ જ પ્રસરાવે. ફૂલને ગમે તેટલું ચાળી નાખેા એ સુગંધિથી જ હાથને વાસિત કરે. સાનાને કસેાટી પર ઘસે તે ચ ચળકાટ જ, છીણીથી કાપેા ત ય એ જ, ને અગ્નિમાં ગમે તેટલું તપાવેા તા પણ વધુ ને વધુ ચળકાટ જ દેખાડે છે. રત્નને ગમે તેટલું ઘસેા છતાં એ તેજ જ બતાવે છે.
ત્યારે વિચારવું જોઇએ કે આવા એકેન્દ્રિય ફૂલ-સાનુંરત્ન—ચન જેવા જીવ પણ જો ગુણ જ બતાવવાનું સત્ત્વ ધરાવે છે, તે પછી હું પંચેન્દ્રિય માનવ સત્ત્વને ન કેળવું ? (૪) સત્ત્વ કેળવવા વળી આ જુએ કે જીવની વડાઇ શેમાં ? સત્ત્વહીન બન્યા રહી કરમાવામાં ને કાળે પડવામાં ? કે પ્રફુલ્રિત અને ઉજજવળ રહેવામાં? જરાક-શી વાતમાં ક્રોધથી ધમધમવામાં? કે મન શાંત રાખી ક્ષમાની ઉદારતા દાખવવામાં ? શેલા કયાં ? એક જરા રૂપાળી ભિખારણ સામે આવી એના પર આંખા વળગાડી દેવામાં? કે મેાટી ઇંદ્રાણી આવે છતાં એના પર સહેજ મટકુ ય ન મારવામાં? આત્માનાં સૌ ય અને ઉત્તમતા શામાં એ ઇંદ્રિયા તથા મન પર સંયમ કેળવી ભલભલા પણ વિષયાથી વિમુખ રહેવાનું સત્ત્વ દાખવવામાં છે.