________________
: પ્રકાશકીય
શ્રી અભિનવ મહાભારત પ્રકાશનના ઉપક્રમે શ્રી લબ્ધિ વિકમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર તરફથી શ્રી અભિનવ મહાભારત ભાગ-૧ (અંક ૧ થી ૧૬) પ્રકાશિત કરતાં અમે અને આનંદ અનુભવી રહ્યા છીએ.
આ મહાગ્રંથની પ૦૦૦ નકલો પ્રસિદ્ધ કરવી એ શ્રી લબ્ધિ–વિકમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્રની કદાચિત ગજા ઉપરાંતની વાત હતી. એ માટે જ અમે શ્રી શાંતિનગર જૈન વે. મૂ. સંઘ તથા અભિનવ મહાભારત પ્રકાશન સમિતિ સાથે સંપર્ક કરી આ આખીય જનાને સાકાર કરી છે.
શ્રી શાંતિનગર જૈન સંઘે પિતાના જ્ઞાન ખાતામાંથી ૧૦૦૦/- પુસ્તકના પ્રકાશનને સુંદર લાભ લઈને આ પ્રકાશનને પ્રોત્સાહિત કરેલ છે. અને તે જ ભવ્ય સહકાર ગુરુભક્ત શ્રી સતીશકુમાર ચીમનલાલ શાહ પાટણવાળા તરફથી સાવીવર્યા સર્વોદયાશ્રીજી મ. ની પુનિત પ્રેરણાથી લેવાયો છે. અમારા અન્ય ઉદાર દાતાઓને ધન્યવાદ આપીએ છીએ પણ આ શ્રી સંઘ તથા ગુરુભક્ત સતીશભાઈની આવી મેટી હામ વિના આ પ્રકાશન આટલી વિશાળ સંખ્યામાં પ્રગટ ન થઈ શક્યું હોત.
અમારા આ “અભિનવ મહાભારતના પ્રગટીકરણ પૂર્વે જૈન મહાભારતના નામે જે જુદા જુદા અંકે બહાર પડતા હતા તેના પણ બધા દાતાઓની યાદી અમે અનુ. મેદના માટે આપી છે.