SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળથી જે જ્ઞાની કે વડીલ હોય તેણે તે તેવા સમયે ખૂબ સહી. લેવું અને સંઘર્ષ પેદા થવા ન જ દે. જ્યારે ક્યારે પણ આવા સંઘર્ષ થયા છે ત્યારે લેકે. અધર્મ પામ્યા છે; યુવાને તે એ બધું જોઈને ધર્મથી. સાવ વિમુખ થયા છે. શાસનહીલના એ સૌથી મોટું અને અતિ ઉગ્ર કક્ષાનું પાપ છે. તમારા નિમિત્તે તે ન થાય તેની હંમેશ. કાળજી કરજે. હીલના અટકાવતાં તમારે જે કાંઈ સહેવું પડે. તે બધું જ તમે હસતે મેંએ સહી લેજે. (૧૭) મનના ઉચાટ અંગે : આપણે બધા અને તે છવસ્થ છીએ. કયારેક ચિત્તસમાધિ હણાઈ જાય તેવા મનના ઉચાટ પેદા થવાના. પ્રસંગે મોટાં ગ્રુપમાં તે વારંવાર આવ્યા જ કરે. આવા સમયે મૌન, સહિષ્ણુતા, ક્ષમા અને ઉદારતા–આ. ચાર ગુણને જે છૂટા મૂકી દેવામાં આવે તે બધી જ ગરમાગરમ થએલી હવા ઠંડી હિમ થઈ જાય. પણ આ. અંગે નમ્ર બનીને પહેલ કરવી એ જ આપણા માટે. મુશ્કેલ બની જાય છે. સંસારત્યાગીને જે આ રીતે માન–કષાય નડશે તે બિચારા સંસારીઓની તે કેવી દશા બેસશે ? પછી આપણે. ય તેમને કયા મોંએ ઉપદેશ આપી શકશું ?
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy