SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૧૦ ] શ્રી કપૂરવિજયજી પ્રથમ લેકમાં જે અનન્યચિત્ત એવા મુનિને ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એ ત્રિપુટી એકતાને પામી ગઈ હોય તેને દુઃખ માત્ર ન હોય એમ કહ્યું છે તે યથાર્થ છે. એવા મુનિને પછી દુઃખનો સંભવ જ કયાંથી હોય? પ્રથમ તો એવું મુનિપણું ઘણું અશુભ કર્મની શ્રેણુ તૂટી હોય તો જ પ્રાપ્ત થઈ શકે, તેમાં પછી પગલિક સુખ કે દુઃખ કે જે માત્ર સંસારી જીવોની માન્યતારૂપ જ પ્રાયે હોય છે તે તેમને કયાંથી જ હેાય ? સંસારી જી ઇસિત પુગળના અસંગમાં કે વિયેગમાં દુઃખ માને છે, પૂર્વોક્ત મહાત્માઓને તે તેની વાંછા જ હોતી નથી, તે પછી તેમાં દુઃખ માનવું રહ્યું જ કયાં? વળી સંસારી સુખ કે દુઃખની વાસ્તવિક વ્યાખ્યાને સમજતા ન હોવાથી તેમ જ પરિણામ પર્યત દષ્ટિ પહોંચતી ન હોવાથી મિથ્યા સુખ કે દુઃખ માને છે; તેવી માન્યતા આ વિબુધ મહાત્માઓની ન હોવાથી, તેઓ ખરેખરા વિજ્ઞ હેવાથી તેમને દુઃખ ન જ હોય એ વાત અક્ષરશ: સિદ્ધ જણાય છે. બીજા લેકમાં યાતા-અંતરાત્મા, થેય-પરમાત્મા અને ધ્યાન-એકાગ્રતાની પ્રાપ્તિ-એ બતાવવામાં આવેલ છે. ધ્યાતા વિશુદ્ધ ન હોય ત્યાં સુધી તે પરમાત્માનું એકાગ્રતાએ ધ્યાન કરી શકતો જ નથી. તેને અશુદ્ધિ રોકે છે, તેથી અંતરાત્માપણું પામેલા જીવ જ શુદ્ધ ધ્યાનને અધિકારી છે એ ખરેખરી હકીકત છે. આ ત્રણની એકતા થવાની આત્મહિતેચ્છુ માટે પૂરી આવશ્યતા છે. તેને જ જ્ઞાનીઓ સમાપત્તિ અથવા લય કહે છે. આત્મા જ્યારે કમળથી રહિત થાય છે અર્થાત તેની ઉપરને કર્મમળ જેમ જેમ ઓછો થતો જાય છે તેમ તેમ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy