SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪] શ્રી કપૂરવિજયજી (२०) सर्वसमृद्धि अष्टकम् વિવેચન-જ્ઞાન-જ્ઞાની પ્રત્યે હૃદયપ્રેમ-બહુમાન સાચવી જે કીટ-ભ્રમરીના ન્યાયે જ્ઞાન-જ્ઞાનીના અનુગ્રહને પામી શકે છે તે મહાનુભાવ નિજ ઘટમાં જ સઘળી હદ્ધિસિદ્ધિને સહેજે પ્રગટાવી શકે છે. તેથી અત્ર પ્રસંગાગત સર્વસમૃદ્ધિ-અષ્ટક શાસ્ત્રકાર વખાણે છે. જે મહાપુરુષને બાહ્યદષ્ટિને પ્રચાર બંધ થયે છે–રોકાઈ ગયે છે અર્થાત જગતના બાહ્ય પદાર્થ માત્રને જેણે પર જાણ્યા છે, બાહ્ય દ્ધિને જે પિગૅબિક પિંડ જાણે છે, તેની જેને કિંચિત્ પણ ઈચ્છા વર્તતા નથી, આત્માના ગુણ અથવા આત્મિક અદ્ધિને જે વાસ્તવિક ત્રાદ્ધિ જાણે છે તેના જ જે ખપી છે, તે મેળવવાને માટે જ જેને અવિચ્છિન્ન પ્રયાસ છે તેવા મહાત્માઓને-મુનિમહારાજાઓને જગતમાં ઉત્તમ કહેવાતી, શ્રેષ્ઠ ગણાતી, વખણાતી તમામ પ્રકારની અદ્ધિઓ પિતાના આત્મામાં જ છે એમ પ્રગટ ભાસ થાય છે. ૧ આ જગતમાં ઈંદ્રની, ચક્રવત્તીની, નાનો , શંકર, વિષ્ણુ અને બ્રહ્માની તેમ જ પ્રાંતે તીર્થકર ભગવંતની દ્ધિ શ્રેષ્ઠ ગણાય છે. તેમાં તીર્થકર સિવાય બીજાઓની જે બાદાદ્ધિ કહેવાય છે તે બધી તેના હૃદયમાં તુચ્છ લાગે છે, પરંતુ તેની ઉપમાને ગ્ય એવી આંતરિક ત્રાદ્ધિઓ તેની પાસે હોય છે જેથી તે પોતાને સર્વ કરતાં શ્રેષ્ઠ માની શકે છે. તીર્થકરની પદવી પણ તેવા સિદ્ધ યોગીને કાંઈ મુશ્કેલ લાગતી નથી. એ સર્વની ત્રાદ્ધિઓ સાથે હવે આત્મિક ઋદ્ધિઓ ઘટાવે છે–
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy