SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૪૪૫] રહેવું. દરેક કાર્યમાં કતત્વઅભિમાન તજી સાક્ષીભાવે– તટસ્થ થઈ રહેવાની ટેવ પાડવી. અનિત્યાદિ દ્વાદશ ભાવનાવડે વારંવાર સંસારની અસારતા-ક્ષણભંગુરતા વિચારીને તેથી વિરક્ત થઈ રહેવું. “ રાવતુ સર્જનાતક ” ઈત્યાદિક વૃદ્ધવાકાનું ઊંડું રહસ્ય દિલમાં ધારી, આખું જગત માત્ર સુખી થાય એવી ઉદાત્ત ભાવના રાખી કલ્યાણકારી આંદોલન (Vibrations) ફેલાવી સર્વત્ર સર્વથા શાતિ શાન્તિ અને શાન્તિ જ પ્રસરે એમ અંત:કરણથી ઈચ્છવું અને કરવું. મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થરૂપ ભાવનાચતુષ્યનું સ્વરૂપ અન્યત્ર પ્રતિપાદન કરાયેલું છે ત્યાંથી અવગાહી લઈ જેમ ચિત્તની અધિક શુદ્ધિ થાય તેમ કરવા પ્રયત્ન કર. ૫. રાગ દ્વેષ વજી સમભાવે કરવામાં આવતી ધર્મકરણી સર્વથા સુખદાયી, હિતકારી અને કલ્યાણકારી થઈ શકે છે તે જ વાત શાસ્ત્રકાર દૃષ્ટાંતપૂર્વક સમર્થન કરી બતાવે છે. સમભાવવતી જનોનાં સઘળાં પ્રકારનાં ધર્મસાધનાથી અવશ્ય અક્ષયપદ પ્રાપ્ત થઈ શકે છે. રાગદ્વેષવર્જિત-કર્તુત્વ અભિમાનરહિત-ઉત્કર્ષ અપકર્ષના કેંદ્ર વગર સમભાવે કરવામાં આવતી કરણ જીવને અચૂક શિવપદ પમાડે છે. તેથી સ્વશકિત સંભાળી, બાહ્યાડંબર તજી, આત્મવિશુદ્ધિનિમિત્તે અંતરલક્ષ રાખી, ત્કર્ષ અને પરઅપકર્ષ ( આપબડાઈ અને અન્યની લઘુતા) કર્યા વગર સહુ કે આત્માથી સજજનેએ પિતપિતાથી બની શકે તે ધર્મસાધનમાં જોડાવું જોઈએ. એમ કરવાથી જેમ જુદા જુદા માર્ગથી વહેતી નદીઓ છેવટ સમુદ્રમાં ભળી જાય છે તેમ સમભાવવત સજજને પણ ગમે તે સત
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy