SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ } શી કપૂરવિજયજી કર્મથી વિમુખ રહે છે તેમ જ તે તેમને પહેલે અભ્યાસ ભવાંતરમાં પણ તેમને આડે આવે છે, જેથી દેહાદિક ઉપર લાગેલી મૂછી ટળી શકતી નથી એમ શાસ્ત્રકાર બતાવે છે. ૩ જે પ્રાણુ ઊંડી આચના કરી જે તે સમજી શકાય એમ છે કે આ દારિક દેહ, પિતાનાં વીર્ય અને માતાનાં રુધિરરૂપ અશુચિથી જ ઉત્પન્ન થાય છે એટલું જ નહિ પરંતુ ગમે તેવાં સુંદર વસ્ત્ર, વિલેપન તથા પાનભેજન વિગેરે પણ તેના સંસર્ગથી અશુચિમય બની જાય છે. એવા અશુચિથી ભરેલા દેહમાં અજ્ઞાની છવ મૂંઝાઈ, નહિં કરવાનાં પાપકૃત્ય કર્યા કરે છે. તેની ખાતર અનેક જાતનાં આરંભ સેવીને જાતજાતનાં ભજન રસાયણ પ્રમુખ તૈયાર કરી-કરાવીને તેનું પોષણ કરે છે, ભાતભાતનાં વસ્ત્ર અલંકાર પ્રમુખથી તેને શણગારે છે, વિવિધ પ્રકારના સ્નાન વિલેપન પ્રમુખથી તેની શુશ્રષા કરે છે, પરંતુ તે ક્ષણવારમાં છેહ આપે છે. અનેક પ્રકારના રોગથી આકુળ અને અશુચિમય મળને જ સવતા આ દેહને જળથી ધેાઈ, સાફ કરી પોતે પવિત્ર થાય છે એ ભારે બ્રમ મૂઢજનેને લાગે છે. એવા પ્રકારને પરમાર્થન્ય દ્રવ્યશાચ તે જળચર જી પણ અનેકશઃ કરે છે તેથી કશું આત્મકલ્યાણ સાધી શકાતું નથી. આત્મકલ્યાણ તે ભાવશાચવડે જ સધાય છે એમ શાસ્ત્રકાર સ્પષ્ટપણે સમજાવે છે. ૪. રાગદ્વેષરૂપ કષાય–તાપને સમાવી શાન્ત કરી આપનાર શમામૃતથી ભરેલા સમતાકુડેમાં ભાવનાન કરી જે મહાનુભાવ પિતાનાં અનેક વિસંચિત અશુભ કર્મમળને ધોઈ નાખે છે તે પરમાર્થથી પવિત્ર થયેલે પુણ્યાત્મા પુન: મલિનભાવ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy