SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ ઃ [ ૩૯૭ ] એવા સદ્ગુણુદ્વેષી જીવને સ્વરૂપરમણુતાનુ શાંત સ્વાભાવિક સુખ સ્વપ્નમાં પણ કેવું ? કષાયતાપથી તેનું હૃદય તેા ઊલટુ સતત રહ્યા કરે છે. ૭. આટલી વાત અત્ર પ્રસંગેાપાત કહેવાની એટલા માટે ઇચ્છા થઈ છે કે અત્યારે જીવામાં પ્રાય: ગુણુરાગ કરતાં દ્વેષ ભાવ અથવા ઉપેક્ષામુદ્ધિ અધિક જોવામાં આવે છે. તે આત્માને અત્યંત હાનિકારક છે. કેાઇ રીતે તેવા અત્યંત અનિષ્ટ ફળ આપનાર દોષપાશથી પ્રાણીએ બચે અને દોષબુદ્ધિ તજી ગુણબુદ્ધિને જ ધારણ કરતાં શીખે. સહુ કેાઇ ભવ્ય જનાને એવી સબુદ્ધિ શીઘ્ર પ્રાપ્ત થાએ અને અનુક્રમે અનુપમ સુખશાંતિના પણ તેમને અનુભવ થાઓ ! હવે છેવટમાં શાસ્ત્રકાર પાતે પણ અકૃત્રિમ ગુણાનુરાગથી જે મુમુક્ષુજના શ્રી વીતરાગવચનાનુસારે શુદ્ધ નિર્દોષ વ નવડે સ્વાત્મહિત સાધી રહ્યા છે તેવા શાસનના અલંકારરૂપ ઉદાસીન મહાત્માએ પ્રત્યે પ્રેમપૂર્વક નમસ્કાર કરે છે અને આડકતરી રીતે આપણને પણ તેવા જ મહાનુભાવ મુનિજનાના પવિત્ર ચરણનું શરણુ ગ્રહવા ક્માવે છે. જે મહાનુભાવ મહાત્માની રહેણી ઉત્તમ છે, ઉત્તમ ઉર્દૂશથી કરણી કરવામાં આવે છે, સર્વથા રાગ યા દ્વેષ રહિત સજ્ઞ વીતરાગ પ્રભુના પવિત્ર વચનાનુસારે કરવામાં આવે છે, તેમજ સ્વશક્તિ અને અધિકાર વિચારી નિષ્કામવૃત્તિથી કેવળ આત્મશુદ્ધિ માટે જ કરવામાં આવે છે તે કાઇ પણ પ્રકારના ઢાષથી દૂષિત થયેલી હાતી નથી. જેમની રહેણીકહેણી એક સરખી–અવ્યભિચારી એટલે વિરાધ રહિત છે તેવા શુદ્ધ આત્મા
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy