SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૯૨ ] શ્રી કપૂરવિજયજી ડંબરરૂપે કરવાથી હિતરૂપ થતી નથી, પરંતુ નુકશાન પણ કરે છે. તે જ વાતનું શાસ્ત્રકાર સમર્થન કરે છે. ૪. કોઈ એક આત્મજ્ઞાનશન્ય-અધ્યાત્મ લક્ષ રહિત પ્રાણ તપ, જપ, પઠન, પાઠનાદિક કરણ ગર્વ-અભિમાનપૂર્વક કરતા ઊલટો કર્મથી લેપાય છે કેમ કે તે કરણ કરતાં પણ તેના આશયથી મલિનતા છે, તેમજ તે કરણ પોતાની અનાદિ મલિનતા દૂર કરવાના લક્ષથી પણ કરવામાં આવતી નથી. અનાદિ અજ્ઞાનના વશપણાથી શુભ કરણ કરતાં છતાં પણ મલિન વાસનાને જોરથી શુભ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. જ્ઞાની વિવેકી પુરુષો તે જ કરશું શુભ આશયથી અંતરની મલિન વાસના માત્રને દૂર કરવા માટે કરતાં હોવાથી શુભ ફળ પ્રાપ્ત કરી શકે છે. તેઓ તે અહંતા અને મમતાને મૂકીને સ્વકર્તવ્ય કરે છે. એટલે કે દ્રશ્ય દેહાદિક પુદ્દગલમાં મિથ્યા અહંતા કે મમતા ધારતા નથી પણ શુદ્ધ આત્મદ્રવ્ય તે જ હું અને શુદ્ધ જ્ઞાનાદિક ગુણ એ જ મારા એવી સાચી હિતકારી અહંતા અને મમતાને જ સારરૂપ સમજી ચિત કરણી અંતરલક્ષપૂર્વક કરે છે. એટલે જેમ અંતરંગ આત્મગુણ જાગૃત થાય અને અનાદિ અહંતા, મમતા વિગેરે મલિન વાસનાઓ સદંતર નષ્ટ થાય તેવું ઉત્તમ લક્ષ રાખવાનું તે ચૂકતા નથી, તેથી જ તેમની સકળ કરણું સુખદાયી થાય છે. કદાચ કરવા એગ્ય કરણ કરી શકાય એવી સ્થિતિની અનુકૂળતા તેમને જણાય નહિ ત્યારે પણ પિતાના કર્તવ્યની ભાવના તે તેમના હૃદયમાં જેવી ને તેવી જ બની રહે છે એટલે કે તે કરણ નહિ કરી શકવા છતાં આશયની વિશુદ્ધિથી તેમને તેને શુભ ફળ તે મળે જ છે. એટલે કે તેઓ રાગદ્વેષાદિકથી તેવી જ રીતે વિચદ્ધિથી દિકથી
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy