SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૩૫૫ ] આ વાત અનુભવસિદ્ધ છે કે જ્યાંસુધી આપણને પ્રાપ્ત વસ્તુથી કાઇ ઉચ્ચ પવિત્ર વસ્તુનું યથા ભાન અને શ્રદ્ધાન થતું નથી ત્યાંસુધી પ્રાપ્તવસ્તુમાં આપણુને લાગેલે મેહુ છૂટી શકતા નથી, પણ જ્યારે કોઇ ઉચ્ચતર પવિત્ર વસ્તુનુ આપણને યથા ભાન અને પ્રતીતિ થાય છે ત્યારે તે પવિત્ર વસ્તુ પ્રત્યે આપણુને સ્વાભાવિક પ્રેમ-પૂજ્યભાવ પ્રગટે છે અને તે પ્રગટેલે પ્રેમ-પૂજ્યભાવ તે વસ્તુ પ્રત્યે આપણી અંત:કરણની ઉપાસનાથી દિનપ્રતિદિન વધતા જાય છે. જેમ જેમ આપણા પ્રેમ આ દિશામાં વધતા જાય છે તેમ તેમ પ્રથમ ની માયિક વસ્તુમાં લાગેલે આપણા મેહ આછા થતા જાય છે. જ્યારે આપણે પવિત્ર વસ્તુમાં સંપૂર્ણ પ્રેમ જગાડીને તેને જેટલા વખત સુધી અનન્ય ભાવે ભેટીએ છીએ ત્યારે તેટલા વખત સુધી અન્ય દિશામાં લાગી રહેલા આપણેા મેહ છૂટી જાય છે. એવી રીતે અનુક્રમે જ્યારે અભ્યાસવિશેષથી અસાર અને અનિત્ય વસ્તુમાં લાગેàા પ્રેમ-મેાહ સમૂળગા છૂટી જાય છે તેમ જ સારભૂત અને નિત્ય એવા પરમાત્મતત્ત્વમાં જ પૂર્ણ પ્રેમ જાગે છે ત્યારે પરમ સુખદાયક પરમાત્મતત્ત્વ પામવા માટે જે જે સાધના સત્શાસ્ત્રામાં ફરમાવ્યા છે તે તે સત્તાધના સત્શાસ્ર નીતિ મુજષ સેવવા આત્મા અતિ આદરપૂર્વક ઉજમાળ થાય છે. એવે વખતે ચક્રવતી રાજા પણ પેાતાના સંપૂર્ણ સામ્રાજ્યને તિલાંજલિ દેતાં લેશમાત્ર વિલખ કરતા નથી. તે પેાતાની ક્ષણિક ઋદ્ધિસિદ્ધિને એક પલકમાં પરહરી અક્ષય ઋદ્ધિસિદ્ધિને આપનાર સચમ સામ્રાજ્યને અંગીકાર કરે છે. તે સંચમના મુખ્યપણે ૧૭ ભેદ કહેલા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy