SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૩૦૫ ] કે ‘ઉપશમ ગુણુ આદરવેા એ જ ચારિત્રના સાર છે. ’ ઉપશમ વિના ચારિત્રકરણી નિષ્ફળપ્રાય છે. શમ, ઉપશમ, પ્રશમ, શાન્તિ, ક્ષમા, સમતા, કષાયજય અને વૈરાગ્ય પ્રમુખ સવે એકાવાચી શુભેા છે. કષાયના જયથી પ્રગટ થતા ઉપશમ ગુણુ વિના ચારિત્ર કેવળ હાંસીપાત્ર થાય છે. ઉપશમ વિના ચારિત્રની દુષ્કર ક્રિયા કરતા છતાં નિર્વાણપદની પ્રાપ્તિ થતી નથી. શમયુક્ત સાધુ જેવી સ્વાભાવિક શાંતિ આત્મામાં અનુભવી શકે છે તેવી શાંતિ શમગુણુ વિનાના સાધુ જો કે સમકિત સહિત જ્ઞાન, ધ્યાન, તપ, શીલ આદિક ગુણના અભ્યાસી હાય તા પણ અનુભવી શકે નહિ. શમણુણુની જે વ્યાખ્યા આ અષ્ટકની શરૂઆતમાં જ ગ્રંથકારે આપેલી છે તે ઉપરથી સમજી શકાશે કે એવી અદ્ભુત શાંતિ પ્રગટવી એ આત્મજ્ઞાનનું અપૂર્વ ફળ છે; અર્થાત્ આત્મજ્ઞાન એ કારણ છે અને શમરૂપ તેનું ફળ છે. જ્ઞાનાષ્ટકમાં કહ્યા મુજમ “જેનાથી પેાતાનામાં ઉર્દૂભવેલા રાગદ્વેષાદિક દુષ્ટ વિચારા દૂર થાય—નષ્ટ થાય એવા એક પણ પરમા યુક્ત વચનનું વારંવાર રટણ કરવું એ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. પરમા શૂન્ય એવા ઘણા જ્ઞાનના કંઇ પણ આગ્રહ નથી. ’” આવા થાડા પણ તત્ત્વજ્ઞાનના બળથી પૂર્વે માષતુષ મુનિનું કામ થયેલું આપણે સાંભળ્યું છે. તેમજ ઉપશમ, વિવેક અને સંવર ’ એવા ત્રણ પદની યથાર્થ રટનાથી ચિલાતીપુત્ર જેવા અઘાર પાપી જીવનું પણ કલ્યાણુ થઈ શક્યું છે તેા ખીજા સુલભખાધી જીવવુ તે કહેવું જ શું ? આવા એક કે અનેક પરમાર્થયુક્ત વચનનું આલેખન લઇ જે ભવ્યાત્મા પેાતાનું કલ્યાણુ સાધવા માગે છે તે સુખેથી નિ:શંકપણે ૨૦
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy