SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૨૪૧] છે. સિદ્ધ ભગવાનના સુખને કદાપિ અંત નથી, એમ સમજી અનાદિ વિભાવપરિણતિને એકાંત દુઃખદાયી જાણે એકાંત સુખદાયી સ્વભાવપરિણતિને સાધવા સદ્વિવેક ધાર અવશ્યને છે, એમ ઉપર્યુક્ત સમર્થનને પરમાર્થ વિચારતાં સ્પષ્ટ માલમ પડે છે. સદ્વિવેકી જનેને સદ્વર્તનને શીધ્ર સહજ સુખની પ્રાપ્તિ થઈ શકે છે. આવા નિપાધિક સુખને મેહના વિલયથી સાક્ષાત્ અનુભવતા છતાં જ્ઞાની પુરુષો તેવા સત્ય સુખના અજાણ–બીનઅનુભવી જનેને તે સંબંધી કહેતાં સહેજે સંકેચાય છે, એમ શાસ્ત્રકાર જણાવે છે. ૬. જ્યારે જીવ સદ્વિવેગે મેહનો ત્યાગ કરે છે અને પૂર્વે અવિવેક ચુંગે મિથ્યાભિમાનથી “અહંતા અને મમતા'વડે પોષવામાં આવેલા મોહ “નાહં મમ” એવા પ્રતિમંત્રવડે જીતી લે છે ત્યારે તેને આત્માના સહજ સુખને સાક્ષાત્ લાભ મળે છે, સ્વાભાવિક સુખને તેને સાક્ષાત્ અનુભવ થયા કરે છે છતાં તેવું સુખ અન્ય અનુભવી–અનધિકારી જનેની પાસે વર્ણવતાં તે સહેજે સંકેચાય છે, કેમકે જે જીવ મેહને વિવશ થઈ ખોટાં કપિત સુખમાં જ રાચે છે તેમને આ સાચા સ્વાભાવિક સુખને ખ્યાલ પણ આવી શક્તો નથી, તેથી તેવાં સ્વાભાવિક સુખનું વર્ણન આવા અનધિકારીની પાસે કરવું તે તદ્દન નિષ્ફળપ્રાય થાય છે. “રુચિ વિના પ્રીતિ નથી” એ ન્યાયથી કલિપત સુખમાં જ અહોનિશ રાચવામાચવાવડે સહજ સ્વાભાવિક સુખમાં અરુચિવાળા એવા મહાસક્ત છને સત્ય સુખમાં રુચિ વિના પ્રીતિ શી રીતે જાગે? સત્ય સ્વાભાવિક સુખમાં શ્રદ્ધા વિના બેટાં વિભાવિક સુખને તજી સહજ સુખને ૧૬
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy