SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૨ ] શ્રી કપૂરવિજયજી " જેમ કાઇ મુગ્ધ જીવા રૂપના ભ્રમથી છીપટ્ટી લેવાને દોડે છે તેમ મૂઢ જના કલ્પિત સુખની ભ્રાંતિથી માહમાયામાં ફસાઇ જાય છે, દુનિયામાં દશ્યમાન થતી માહક વસ્તુઓને જ્ઞાનીવિવેકી પુરુષા “ માયા રૂપ એટલા માટે જ માને છે કે તે મુગ્ધ જીવાને ભ્રમમાં નાંખી દુઃખના ભાગી કરે છે. માહમાયાથી કાઇનુ કદાપિ કંઇ પણ કલ્યાણ થયું નથી. તેના ત્યાગ કરવાથી જ સહુ કોઇનું કલ્યાણુ થઈ શકે છે, માટે દુનિયાની મહમાયાથી આત્મરક્ષણુ કરવા સદાકાળ સાવધાન રહેવું જોઇએ. વિવેકદૃષ્ટિને તે સસારમાં રહ્યા છતાં પણ દુઃખ નથી એમ શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે. ૩. જેના ઘટમાં વિવેક પ્રગટ્યો છે અને તેથી જેને સ્વપરતુ સારી રીતે ભાન થયું છે એવા તત્ત્વષ્ટિ મહાશય કદાચ કવશાત્ સ ́સારમાં જ રહ્યો હાય અને તેથી તેને દુનિયામાં વિધ વિધ નાટક જોવાનું સહેજે જ બનતુ હોય તેા પણ તે તેમાં લગારે મૂંઝાતા નથી, દરેક પ્રસ ંગે તે કર્મનું સામ્રાજ્ય જગત ઉપર છવાઈ ગયેલુ સાક્ષાત્ અનુભવે છે. સર્વ પ્રકારનાં કલ્પિત સુખદુ:ખનાં સાધન જીવને શુભાશુભ કર્મના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે એમ તે સારી રીતે સમજે છે, તેથી તેમાં કઇ હ કે ખેદ નહીં કરતાં તે સમભાવે રહી શકે છે. જેમ પ્રબળ પવનના ચેગે જલધિનાં જળ ઊંચે ચઢે છે અને પવન પડતાં જ તે જળ પાછાં જેવાં ને તેવાં જ સ્થિર થઇ જાય છે તેમ શુભાશુભ કર્મની પ્રખલતાથી જીવને કલ્પિત સુખદુ:ખનાં સાધન અધિકાધિક ઉપરાઉપર મળે છે, અને તે કર્મ ક્ષીણ થયે છતે ઉક્ત સાધન આપે।આપ અશ્ય થઈ જાય છે, એવું જેને સહજ ભાન થયુ છે એવા શુભાશય જ્ઞાની કર્મના ચેાગે પ્રાપ્ત થયેલા
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy