SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૬ ] શ્રી કરવિજયજી અંશે અંશે ઓછી કરવાથી જ બની શકે છે. માહાસક્ત જીવાએ જે સાંસારિક ઉપાધિને સુખરૂપ માનેલ છે તેને જ્ઞાની-વિવેકી જના કેવળ દુઃખરૂપ જાણીને તજી દે છે. જેમણે જગતની ક્ષણભંગુર વસ્તુઓના સારી રીતે અનુભવ લઇ તેમાં અસારતા જોઈને તેના ત્યાગ કર્યા છે, તેમના વૈરાગ્ય જ્ઞાનભિ ત હાવાથી તે સ્થિર ટકી રહે છે, તેવા સમર્થ પુરુષા સાંસારિક સંબંધને સર્પની કાંચળીની જેમ તજી દઇ તેને ક્ી આદરતા નથી, પરંતુ જેમના વંરાગ્ય દુ:ખગર્ભીિત અથવા મેહગર્ભિત હેાવાથી કાચા છે, તેને તુચ્છ વિષયામાં લલચાઇ જતાં વાર લાગતી નથી. છતાં જો તેમને પણ ભાગ્યવશાત્ કાઇ સસમાગમયેગે તેનું યથાર્થ ભાન થઈ જાય છે તે તે શુદ્ધ વેરાગ્યથી વાસિત થઇ અનુક્રમે આત્મગુણુમાં સ્થિર થઇ શકે છે. તાત્પર્ય એ કેજેને તેને જ્યારે ત્યારે પણ પરઉપાધિને સ થા તજી આત્માના સહજ ગુણુમાં સ્થિરતા કયે જ કલ્યાણ છે. આત્મામાં સહજ સ્થિરતા ગુણને પ્રકટાવવાથી જ જીવનું કલ્યાણ થવાનું છે, એમ જાણુતા છતાં જો તેને અનાદર કરીને અસ્થિરતા અથવા ચપલતાનું જ સેવન કરવામાં આવશે તે આત્માને કેટલી હાનિ થશે તેનું શાસ્ત્રકાર પાતે જ ભન્ય જીવાને કંઇક ભાન કરાવે છે. ૬. સ્થિરતાયેાગે આત્મામાં પ્રગટ અનુભવાતું સત્ય સુખ લક્ષમાં સ્થાપીને અને તેના ચિર પરિચયથી ભવિષ્યમાં થનારા અવિનાશી એવા મેાક્ષસુખને પુન: પુન: સંભારીને આત્માથી જનાએ સહજ સ્થિરતા ગુણના જ અહેાનિશ અભ્યાસ કરવા ચેાગ્ય છે. તેમ જ અસ્થિરતાયેાગે આત્મામાં પ્રગટ અનુભવાતા દુ:ખને અથવા સત્ય સુખના વિયેાગને લક્ષમાં રાખી તેવી જ અસ્થિરતાને પુનઃ પુન: ઉપેક્ષાપૂર્વક સેવવાથી આત્માની ભવિષ્યમાં
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy