SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૪ ] શ્રી કપૂરવિજયજી રાજાને અને રકને સમાનપણે સદુપદેશ આપે છે અર્થાત જે તે બ ંનેમાં લેશમાત્ર ભેદભાવ લેખતા નથી, સુવણૅ અને પાષાણુને સરખા ગણે છે, જેમ પાષાણુને નકામા ગણે છે તેમ સુવર્ણ ને પણ નકામું ગણે છે, અને જે નારીને કાળી નાગણી જેવી અનથ કારી લેખી દૂરથી જ પરિહરે છે. એવા સત્પુરુષા જ સાધુ નામને સાક કરી શકે છે. જે નિંદા કે સ્તુતિને શ્રવણે સુણીને મનમાં કઇપણ ખેદ કે હર્ષને ધારણ કરતા નથી, એવા યેાગીશ્વર પુરુષા જ પરમપદને સાધી શકે છે. જે ચંદ્રની પેઠે સ્વભાવે શીતળ છે, સાગરની જેવા ગંભીર છે, અને ભાર'ડ પંખીની જેમ અપ્રમત્ત રહે છે તેવા સાધુપુરુષા જ સ્વપરહિત સુખે સાધી શકે છે, જે પેાતે પાતાને ઉચિત વ્યવહારને સેવતા સતા કમળની જેમ ન્યારા જ રહે છે, પેાતાને માધક કર્મના લેપ ન લાગે એમ સંભાળથી જે વર્તે છે તેવા મહાપુરુષ ખરેખર મુક્તિના અધિકારી છે. એવા અધિકારી પુરુષાની પ્રકૃતિ સ્વભાવિક રીતે જ શીતળ હાય છે તેથી બહારના સયેાગાવડે તેમાં વિકૃતિ થવા સંભવ રહેતા જ નથી. તેવા આત્મારામી યેાગીશ્વરાને અમારી ત્રિકાળ વંદના હૈ ! ૫. 2 જો એક સ્થિરતા–નિશ્ચળતારૂપી અ ંતરંગ સ્વાભાવિક દીવે આત્મામાં પ્રગટ્યો હાય તા, પછી ખાધકભૂત સંકલ્પ–વિકાનુ તથા મિલન એવા પાપાશ્રવાનું કંઇ પણ જોર ચાલી શકે જ નહીં. જેમ કેાઈ એક સુંદર મહેલમાં અચળ એવી સ્વાભાવિક જ્યાતિવાળા રત્નના દીપક જગાન્યા હાય તા પછી તેમાં કૃત્રિમ દીવા કરવાનુ કઇ પ્રયેાજન રહે નહીં. જ્યારે કુત્રિમ દીવા કરવાની જરૂર રહે નહીં તે પછી ધૂમાડાથી અને કાજળથી મહેલની મલિનતા થાય જ શી રીતે? તે જ્યારે કૃત્રિમ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy