SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧૦] શ્રી કરવિજયજી કે–“મનને જીતવાથી ઇંદ્રિય સુખે જીતી શકાય છે, અને ઇંદ્રિયે જીતાયાથી કર્મને પણ સુખપૂર્વક નિરોધ થઈ શકે છે. કર્મને નિરોધ થવાથી અંતે અક્ષયસુખ પ્રાપ્ત થાય છે માટે મનને જ મારવું યુક્ત છે.” મનને માર્યા વિના ઈચ્છાનિરોધ થતું નથી અને ઈચ્છાનિધિરૂપ વિનાના તપ, જપ પણ અક્ષયસુખને માટે થતા નથી, કેમકે ઈચ્છાનિરોધરૂપ તપ, જપ તથા સંયમવડે જ આત્મા સર્વ કર્મબંધનથી સર્વથા મુક્ત થઈને અવિનાશી એવા એક્ષપદને પામે છે. ૩ ચિત્તની સ્થિરતા વિના અધીરજ અને અવિશ્વાસથી અથવા કેવળ લોકરંજન માટે કરવામાં આવતી કરણીથી કંઈ પણ કલ્યાણની પ્રાપ્તિ થતી નથી, એ ઉપરની વાતથી સિદ્ધ થાય છે તે પણ તે વાતને જ પુષ્ટિ આપવા શાસ્ત્રકાર પુન: યુક્તિપુરસર શિષ્યને સમજાવે છે કે – - જ્યાં સુધી પેટમાં ચુંટ રહી ગઈ હોય અને તેને કઈ ઉપાય વિશેષથી દૂર કરી ન હોય ત્યાં સુધી ગમે તેવું ઔષધ રેગીને ગુણકારી થઈ શકતું નથી, તેથી જ નિપુણ વૈદ્યો દરદીના દર્દનું નિદાન શોધીને પછી જ તેને ઉચિત દવા આપે છે. જે પેટમાં ચૅટ રહેલી માલૂમ પડે તે પ્રથમ તેને જ ઉપાય કરે છે. ચેટ રહી જવાથી મળકોશ બગડે છે, ચંક આવે છે, બદહજમી થાય છે અને તેને અવસરે ઉચિત ઈલાજ કરવામાં ન આવે તે કવચિત્ પ્રાણુત પણ થઈ જાય છે, તેથી જ નિપુણ વૈજને તેને ઉપાય પ્રથમ કર્યા પછી જ બીજે ઘટિત ઈલાજ કરે છે. એક જરા જેટલી ફાંસ પણ જે હાથ કે પગમાં વાગી ગઈ હાય તો જીવને ક્યાંય ચેન પડતું નથી, જ્યારે તેને યત્નથી
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy