SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૧૭૭] શરે છે, તે આત્મા જ જ્ઞાની છે; અને અમે તેવા આત્માની જ પ્રશંસા કરીએ છીએ કે જેના ચારિત્રધનને ઈદ્રિયરૂપી ચેરટા ચોરવાને સમર્થ થઈ શક્યા નથી અર્થાત્ જે મહાશય સ્વચારિત્રનું સારી રીતે રક્ષણ કરી શકે છે તે જ ખરો શૂરે, જ્ઞાની અને પ્રશંસાપાત્ર છે. સમ્યગદર્શન (શ્રદ્ધા), જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ આરાધન કરનાર મુમુક્ષુ અવશ્ય મેક્ષસુખને અધિકારી થાય જ છે. જ્યાં સુધી મન અને ઇંદ્રિદ્વારા આત્મા અનિયંત્રિતપણે વિવિધ વિષમાં જ ભ્રમણ કરે છે ત્યાં સુધી તે પુદ્ગલાનંદી જ કહેવાય છે. વિવિધ વિષમાં યથેષ્ઠ આસક્તિ કરવાથી, આત્મા રાગદ્વેષાદિક અનિવાર્ય દોષોથી મલિન જ થતો જાય છે અને એ પ્રમાણે સતત વિષયસેવનવડે અત્યંત મલિન થઈ જવાથી તે બાપડા દુર્ગતિને જ અધિકારી થાય છે, માટે જ શાસ્ત્રકારે મોક્ષસુખના અભિલાષી ભવ્ય જીવને પ્રથમ મનને અને ઇન્દ્રિયને જ નિગ્રહ કરવા ભલામણ કરીને સ્વસ્વરૂપમાં સ્થિરતા રાખવાને આગ્રહ કર્યો છે. જે ભવ્ય આત્મા શાસ્ત્રકારના વચનાનુસાર મનને તથા ઇન્દ્રિયનો નિગ્રહ કરે છે તે જ મહાશય આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાને અધિકારી બની તેમાં નિમગ્ન થઈ શકે છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં નિમગ્ન થઈ રહેવું તેને જ જ્ઞાની પુરુષો ખરી નિરુપાધિક મગ્નતા કહે છે. એવી સ્વરૂપમગ્નતા મન અને ઇંદ્રિયોને યથાર્થ નિગ્રહ કર્યા વિના થતી નથી; અને મન તથા ઇદ્રિને જોઈએ તે નિગ્રહ સમ્યગ જ્ઞાન તથા દર્શનના પ્રકાશ વિના થતું નથી. સમ્યમ્ જ્ઞાન તથા દર્શનની સહાયથી જ્યારે અંતરાત્મા વિભાવદશાનો ત્યાગ કરી સ્વભાવરમણને ૧૨
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy