SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૧૬૫ ] સુખનું મૂળ કારણ શોધી કાઢી તેને જ વિશેષ પ્રકારે સેવવામાં આવે તે સુખનો વિગ જ થવા ન પામે. આવી તત્વદષ્ટિની ખામીથી લબ્ધ સુખદુ:ખમાં જ રાગદ્વેષને ભજી મૂઢ છે પરિણામે ભારે વિટંબન પામે છે તેથી જ જ્ઞાની પુરુષો તેને શ્વાનવૃત્તિ કહે છે. જ્યારે શ્વાનને કંઈક પથ્થર વિગેરે મારવામાં આવે છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ મારનાર માણસની દરકાર નહિ કરતાં તે પથ્થર આદિ વસ્તુને જ કરડવા દોડે છે તેવી દુઃખદાયકદયાજનક સ્થિતિ અજ્ઞાની-અવિવેકી માણસની હોય છે, પરંતુ સિંહને કેઈએ બાણ કે બંદુક મારવા પ્રયત્ન કર્યો હોય છે ત્યારે તે બાણ કે બંદુકને નહિ જોતાં મારનાર માણસ પ્રત્યે જ લક્ષ્ય સાધીને તેને ઠાર કરવામાં પોતાના શાયની સાર્થકતા માને છે. એવી રીતે જ્ઞાની-વિવેકી માણસ પણ પ્રાપ્ત સુખદુઃખમાં નહિ મૂંઝાતા તેના મૂળ કારણ સામે નિશાન રાખીને સમતાથી સ્વહિત સાધી લેવા સાવધાન રહે છે. તેને જ જ્ઞાની પુરુષો તત્ત્વથી સિંહવૃત્તિ કહે છે. આવી પ્રશસ્ત સિંહવૃત્તિને અખંડપણે સેવનાર પુરુષને અંતે અખંડ સ્વાભાવિક સુખ સંપ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય જેવું શું છે ? ૫. આવા સ્વાભાવિક સુખના અધિકારી કોણ છે? અને કોણ નથી? તે બાબત શાસ્ત્રકાર પોતે જ વધારે સ્પષ્ટ કરવાપૂર્વક કહે છે કે – જેને સમ્યગ્રજ્ઞાનવડે સ્વપરનું યથાર્થ જાણપણું થયું છે, મારું શું અને પરાયું શું? એ જેને યથાર્થ ઓળખાયું છે, તેમજ શુદ્ધ શ્રદ્ધાવડે તેને નિશ્ચય થયો છે તેવા વિવેકવંત જને પરવસ્તુના સંગને ઉપાધિરૂપ સમજીને તેનાથી દૂર રહેવાનો અંતરથી યત્ન કરે છે, તેવી ઉપાધિ પ્રથમથી વળગી
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy