________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭ ] સુધારી શકે છે તે જ પોતાની સંતતિને પણ તેને સુંદર વારસો આપવા ભાગ્યશાળી થઈ શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૨]
શુદ્ધ ચારિત્રને પ્રભાવ. સદ્વર્તન, કર્તવ્યપ્રેમ અને પ્રમાણિકપણું–આ ગુણો મનુષ્યને માટે એટલા બધા જરૂરના અને મહત્ત્વના છે કે એના વગર શુદ્ધ ચારત્ર બંધાવું જ અસંભવિત અથવા અશકય છે.”
કઈપણ દેશ સમાજની ઉન્નતિનો આધાર ત્યાંની ઉપજ, ત્યાંના સુદઢ વિશાળ કિલ્લાઓ કે સુંદર ઇમારતો ઉપર રહેલો નથી, પરંતુ તે દેશનાં દઢ ચારિત્રવાન મનુષ્ય ઉપર રહેલે છે. એ સદવાકય હૃદયમાં કેરી રાખવા ગ્ય છે.”
દેશની શક્તિનું માપ વસ્તીની વિશેષ સંખ્યા ઉપરથી નહીં, પરંતુ પ્રજાના ચારિત્ર-સદાચરણ ઉપરથી થાય છે.”
“એકાદ વિલક્ષણ બુદ્ધિવાળાને જોઈને આનંદ થાય છે - ખરોપરંતુ માન-સન્માન તો સદાચરણને જ વધારે અપાય છે.”
બુદ્ધિ તે મગજનો વિષય છે પણ વ્યવહાર તે હદયથી જ દીપે છે. જ્યાં સુધી હદય ઉન્નત-વિશાળ-ઉદાત્ત થયું નથી ત્યાં સુધી બીજું બધું શિક્ષણ અપૂર્ણ છે.”
“જે જે મહાપુરુષે આ સંસારમાં કીર્તિના અચળ સ્થભે ઊભા કરી ગયા છે તે પિતાના સદાચરણ–ચારિત્રવડે જ કરી ગયા છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૩.]