________________
લેખ સંગ્રહ : ૩ :
L[ ૧૯૯ ] ૫૦. ક્ષમાવડે કેધને જય કરે, નમ્રતાવડે માનને જય કરે, સરલતાવડે માયાને જય કરે અને સંતોષવડે લેભને જય કરો. તે ચારને જીત્યા પછી થતું સુખ, તે જેણે તેમને જીત્યા છે તે જ જાણે છે.
૫૧. સર્વ સુખનું મૂળ ક્ષમા છે અને ધર્મનું મૂળ પણ ઉત્તમ પ્રકારની ક્ષમા જ છે. ક્ષમા જ મહાવિદ્યાની પેઠે સર્વ દુરિત–ઉપદ્રવને હરી લે છે. એવી રીતે વિનય, નમ્રતા, સરલતા અને સંતોષજન્ય ઉત્તમ સુખને વિચાર કરી લે.
પર. સાધુ થઈને એક ઘરનો સંબંધ છેડી પાછો તે જ સંબંધ-પ્રતિબંધ અન્ય સ્થાને જોડે છે-કરે છે, મમતા–પરિગ્રહ માંડે છે તેને શાસ્ત્રકાર પાપ-શ્રમણ કહી બેલાવે છે.
પ૩. જે સાધુ-શ્રમણ કારણ વગર દૂધ, દહીં, ઘી, ગેળ વગેરે વિગ વાપરે-વારંવાર ખાય તેને પાપશ્રમણ કહ્યું છે. પુણજરૂરી કારણે ગુરુને પૂછીને જરૂર પૂરતી વાપરે તેની વાત ન્યારી છે.
૫૪. સાધુ થઈ છતી શક્તિએ જ્ઞાન-ધ્યાન, તપ–જપ ન કરે તેને પણ પાપભ્રમણ કહે છે.
૫૫. મદ્ય (મદિરા વિગેરે કેફી ચીજ ) વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે–૨ખડાવે છે–રઝળાવે છે. જન્મમરણનાં બંધનથી મુક્ત થવા દેતા નથી.
પ૬. જ્યારે ચાદપૂર્વધરે પણ પ્રમાદવશ પડવાથી નિદ આદિનાં અનંતા દુઃખે પામે છે, તો તે મૂઢ આત્મન્ ! પાંચે પ્રમાદમાં