________________
[ ૧૯૬ ]
શ્રી કર્ખરવિજયજી દિક ધર્મ ભાવસ્તવ રૂપ જાણો. પ્રથમ દ્રવ્યસ્તવ–ધર્મ સપાધિક-ઉપાધિવાળે છે અને બીજો ભાવરૂવરૂપ–ધર્મ નિપાધિક છે, તેથી તે ધર્મ શુલધ્યાન માટે વધારે અનુકૂળ છે.
૩૨. જે ગચ્છમાં સાધુઓ આચારભ્રષ્ટ થઈ કયવિક્રય કરે છે તે ગચ્છને હે ગુણસાગર ! તું વિષની પેઠે દૂર પરિહર.
૩૩. જે ગચ્છમાં સાધ્વીનાં આણું આપેલાં વસ્ત્ર પાત્રાદિ વિવિધ ઉપકરણ વાપરવામાં આવે છે તે હે ગુણાકર ! ગચ્છ જ શાને?
૩૪. જે ગચ્છમાં કારણગે પરાયા પણ ઘડેલા કે અણઘડેલા સેનાને સાધુઓ હાથ વડે પણ છિપતા–અડકતા નથી તેને જ અમે ગછ કહીએ છીએ. સદાચારશૂન્ય ગચ્છને ગ૭ કહે યોગ્ય જ નથી.
૩૫. જેટલું પુણ્ય બ્રહ્મવ્રતધારીને સંભવે છે તેટલું પુણ્ય કઈ કેટીગમે કરોડોનું સુવર્ણ દાન આપે, અથવા તો કોઈ કનકનું જિનભવન કરાવે તેને સંભવતું નથી. - ૩૬. શીલ જ કુળનું આભૂષણ છે, શીલ જ ઉત્તમ રૂપ છે, શીલ જ ખરું પાંડિત્ય છે અને શીલ જ અનુપમ ધર્મ છે; કેમકે તે જ ઉભય લેકમાં સુખના હેતુરૂપ થાય છે.
૩૭. વ્યાધિ–રોગ આવે તે સારે, મૃત્યુ-મરણ આવે તે સારું, નિર્ધનતા–ગરીબાઈ આવે તે સારી તથા વનવાસ–જંગલમાં ભમવાનું આવે તે સારું, પણ કુમિત્રો-દુર્જન અથવા મૂર્ખ મિત્રો સાથે સમાગમ સારો નહિ.
૩૮. અગીતાર્થ એવા કુશીલને સંગ ત્રિવિધ ત્રિવિધ વસ