________________
[ ૧૫ર ]
શ્રી કÉરવિજયજી પર્યુષણાદિક પવિત્ર પર્વ પ્રસંગે ભારે તપસ્યાદિક કરી ન શકાય તે પણ જાણે તેટલું વિવેકથી
આચરે અને બેલે તેવું પાળો. ૧. વહાલા બંધુઓ અને બહેન ! આપણે જાણીએ તેટલું આદરવા અને બોલીએ તેટલું પાળવા સાવધ બનીએ તો સ્વપરહિતમાં કેટલો બધો વધારો થવા પામે?
૨. ડહાપણભરી દયાથી સહુને આપણા આત્મ સમાન લેખવા, સર્વ સાથે પરમ મિત્રીભાવ રાખે, સદ્ગુણી પ્રત્યે પ્રમોદભાવ-પ્રસન્નતા રાખવી, દુઃખીજને પ્રત્યે કરુણુભાવઅનુકંપાબુદ્ધિ ધારવી અને દુષ્ટ-દબુદ્ધિ-પાપી–નિંદક પ્રત્યે પણ રાગ-દ્વેષ નહિ કરતાં ઉદાસીન ભાવ ધરી, અંતરથી સહકેઈનું એકાન્ત હિત ઈચ્છવું અને બને તેટલું સ્વપરહિત કરવું. એ અહિંસકભાવ હૃદયમાં જાગ્રત રાખવાથી દુનિયામાં કેટલી બધી શાંતિ પ્રગટે અને અશાંતિ–ર–વિરોધાદિક દૂર ટળે ? સહુને આવી સદબુદ્ધિથી કેટલે બધો ફાયદો થાય ?
૩. ગમે તે આકરે શસ્ત્રાદિકને ઘા પણ ગ્ય ઉપાયવડે રુઝાય છે. પરંતુ વચનરૂપ ઘા તો કેમે ય રુઝાતું નથી અને તે મરણ પર્યત સાલે છે, એમ નિશ્ચયપૂર્વક સમજી સામાને પ્રિય લાગે અને હિતરૂપ થાય એવું જ સમાચિત ભાષણ કરવાની ટેવ પાડવાથી કેટલો બધો ફાયદો થવા પામે ? વળી કેટલે અનર્થ યા ઉપાધિ થતી અટકે? અને સુલેહ-શાંતિ સચવાય.?
૪. “ચોરીનો માલ શીંકે ચઢે નહિં,” “ચોરની મા કોઠીમાં મેં ઘાલીને રુવે,” “પાપીનું ધન પટેલે (પ્રલય)