________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૩૯ ]
ગૃહસ્થ સ્રીના હસ્ત-ચરણના સ્પર્શ તથાવિધ કારણુ ઉત્પન્ન થયા છતાં પણ દાઇવિષ સર્પ કે પ્રજવલિત અગ્નિ કે ઝેરની જેમ વવામાં આવે છે તે સત્ય ગચ્છ જાણવા.
""
66
૮૪. “ મહામેાહરૂપ ઉન્માદનુ કારણ જાણી, બળકુમારિકા કે વૃદ્ધ નારી, પુત્રની પુત્રી, પુત્રીની પુત્રી કે બેન, માતા, પુત્રી કે સ્ત્રી પ્રમુખના અંગસ્પર્શી જ્યાં કરવામાં ન આવે તે ગચ્છને હૈ ગૈાતમ ! સત્ય-પ્રમાણ સમજવે, ”
૮૫.
“ જે ગચ્છમાં સ્ત્રીને! કરસ્પર્ધા સ્વય સાચાર્યાદિક પણ કરતા હાય તા તે ગચ્છને હું ગોતમ ! નિશ્ચે મૂળગુણથી ભ્રષ્ટ થયેલ સમજવા. ” અહીં અપવાદ પ્રસગ કહે છે:~
૮૬. “જે ગચ્છમાં સાધ્વીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી તેને કેાઈ જીવલેણ વ્યાધિ ઉત્પન્ન થયા હોય તેવા કોઇ પ્રસગે કે વિષમ વિદ્વારાદિક પ્રસ`ગે અપવાદ સ્થાને પણ બૃહત્કલ્પાદિકમાં ભગવતે અણુકહેલું-નિષેધ કરેલુ હાય તે પ્રકારે કરવામાં આવે અને અપવાદ સેવવા જ જ્યાં મહાલાભકારી હાય ત્યાં તેમ શાસ્ત્રોક્ત પ્રકારે કરવામાં ન આવે, જેથી પરિણામ વિપરીત આવે ને આજ્ઞાના ભંગ થાય તેવા ગચ્છ પ્રમાણુરૂપ ન લેખાય.”
૮૭. “ અનેક લબ્ધિસ ંપન્ન, બીજા બહુગુણયુક્ત અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા. છતાં જે સાધુ પાંચ મહાવ્રતારૂપી મૂળગુણથી ભ્રષ્ટ થયેલ હાય તેને આચાર્ય મહારાજ તિરસ્કાર કરીને સ્વગચ્છમાંથી દૂર કરે તે ગચ્છને સત્ય-પ્રમાણુરૂપ લેખવા. થિણદ્ધિ નિદ્રાવશ અતિ દુષ્ટ સ્વભાવવાળા સાધુને પણુ આચાર્ય નિજ ગચ્છમાંથી દૂર કરી દે તે ગચ્છ પ્રમાણ લેખાય છે. ’