________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૪૭ ]
તેથી નવાં કર્મ ન બંધાય ને પૂર્વે અવિવેકથી બધાયેલાં કર્મની નિર્જરા થાય.
પ્ર૦–ઘ્રાણુ( નાસિકા ) ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ છુ ફળ ઉપાર્જ ?
ઉ-ઘ્રાણુ ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી સારાં-નરસાં, સુગધીદુર્ગંધી પદાર્થોના સંચાગ થતાં તેમાં રાગ-દ્વેષ થવા ન પામે, તેથી નવા કર્મ બંધાતાં નથી અને પૂર્વે અજ્ઞાનવશ બંધાયેલાં ક આછા થાય છે.
પ્ર-જિહ્વા( જીલ ) ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ શુ ફળ ઉપાજે ?
ઉ—જિહ્વા ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી સારાં–નરસાં, પ્રિય– અપ્રિય, મીઠા, ખારા, ખાટા, તીખા, કડવા, કસાયલા રસવાળા પદાર્થ ખાવા-પીવામાં આવતાં તેમાં રાગ-દ્વેષ થવા ન પામે, તેથી નવાં કર્મ બંધાય નહીં અને પૂર્વે અજ્ઞાનવશ બંધાયેલાં પાપકર્મ ક્ષય થવા પામે.
પ્ર—સ્પર્શ ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ શું ફળ ઉપાજૅ ?
ઉ-સ્પર્શી ઇન્દ્રિયને કાષ્ટ્રમાં રાખવાથી સારાં-નરસાં, પ્રિય– અપ્રિય, સુવાળા—બરસટ વિગેરે અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શીવાળા પદાર્થોના સ ંચાગ થતાં તેમાં રાગ-દ્વેષ થવા નથી પામતા, તેથી નવાં કર્મ નથી ખંધાતાં, તેમ જ પૂર્વે અજ્ઞાનવશ અંધાચેલાં કર્મ છૂટવા ઓછા થવા પામે છે.