________________
[ ૨૪૬ ]
શ્રી કપૂરવિજયજી
૫. આપે એને અને ન આપે એને ય આપવું–સગાંવહાલાં કે મિત્રા પાછુ આપી શકે કે ન આપી શકે તે પણ એને આપવું.
૬. સુખે બેસવુ–સાસુસસરા વિગેરે મેટેરાંને જોઇને ઉઠવુ પડે ત્યાં બેસવું નહીં.
૭. સુખે જમવું-મેટેરાં જમ્યા પછી જમવું.
૮. સુખે સૂવુ-મેટેરાં સૂતા પછી સૂવું.
૯. અગ્નિની પરિચર્ચા કરવી-માટેરાંની સેવા કરવી. ૧૦. ગૃહદેવતાને નમવું–મેટેરાંને દેવ જેવા સમજવા.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦ ॰ ]
પ્રશ્નાત્તરરૂપે સાધ.
પ્ર-શ્રોત્ર( કર્ણ ) ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ શું ફળ ઉપાજૅ ?
ઉ-શ્રોત્ર ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી સારાં-નરસાં, પ્રિય– અપ્રિય, નરમ-ગરમ શબ્દો સાંભળવામાં આવતાં રાગ-દ્વેષને નિગ્રહ થાય, તેથી નવા કર્મ ન બંધાય ને પૂર્વ અવિવેકથી આંધેલાં કર્મની નિર્જરા થાય.
પ્ર-ચક્ષુ( આંખ ) ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી જીવ શુ ફળ ઉપાજે?
ઉ-ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી સારાં-નરસાં, પ્રિય અપ્રિય, રૂપ-વણું જોવામાં આવતાં તેમાં રાગ--દ્વેષ થવા ન પામે;