________________
ઉપસંહાર
ધર્માદિક ચારે પુરુષાર્થનું સંક્ષિપ્ત સ્વરૂપ.
પ્રથમ ધર્મ વર્ગ દુર્ગતિમાં પડતાં સર્વ જતુને, ધારવાથી ધરમ કહો તેહને; સંયમ આદિ કહ્યો તે દશવિધ ભલે,
સુગુરુથી ભવિ ધર્મ તે સાંભળે. ૧ અજ્ઞાન, મેહ અને પ્રમાદવ-સ્વછંદ આચરણથી દુર્ગતિમાં પડતા પ્રાણીઓને હસ્તાવલંબન આપી, ધારણ કરી રાખે–બચાવી રાખે અને તેમને સદ્ગતિ સાથે જોડી આપે તે ક્ષમા આદિ દશ પ્રકાર અને સંયમાદિક સત્તર પ્રકારને રૂડા ધર્મ શાસ્ત્રકારે કહ્યો છે. અહો ભવ્ય જનો ! તેનું સ્વરૂપ સુગુરુ મુખથી સાંભળી ગ્રહણ કરે.
ક્ષમાદિક દશવિધ યતિધર્મ નીચે પ્રમાણે છે – ૧ ક્ષમા–સમતા-સહનશીલતા રાખવી. ૨ મૃદુતા–કમળતા-સભ્યતા-નમ્રતા ધારણ કરવી. ૩ જુતા–સરલતા-પ્રમાણિકતાનું સેવન કરવું. ૪ નિભતા–સંતેષવૃત્તિ સદા ય આદરવી. ૫ તા–બાહ્ય અને અત્યંતર એમ બન્ને પ્રકારનો તપ કરવો. અનશન, ઊણેદરી આદિ બાહ્ય અને જ્ઞાનધ્યાન,વિનય,