________________
[ ૨૦૪]
શ્રી કપૂરવિજયજી અંતરમાં જ્ઞાન પ્રકાશ થતાં શુદ્ધ ધ્યાન અને ભાવનાનું બળ વધતાં નિર્મળ આત્મતિ -સ્વરૂપ સ્થિરતા પ્રગટે છે અને તેમાં સમરસ થઈ-નિર્વિકલ્પ થઈ સમાઈ જતાં સકળ કર્મના ક્ષયરૂપ–પરમાનંદ-મોક્ષપદ પ્રાપ્ત થાય છે. તેથી સકળ સુખના હેતુરૂપ આત્મબોધ મેળવવા જરૂર પ્રયત્ન કરે અને તે મહાધીનતા તજવાથી જ બની શકે એમ હોવાથી પછી અહંતા, મમતા તથા વિષયવાસના ટાળવા જરૂર લક્ષ રાખવું.
સંસાર સંબંધી ગમે તેવા અનુકૂળ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ પંચવિષયસુખ ક્ષણિક-અસ્થિર છે, તેમજ સ્ત્રી, પુત્ર, લક્ષ્મી અને વૈવનાદિક ઈષ્ટ વસ્તુઓનો સંગ ક્ષણભંગુર છે; એમ ચિત્તમાં ચોક્કસ ઠસાવીને નિર્મળ આત્મબોધ, આત્મશ્રદ્ધા અને આત્મરમણતા રૂપ પવિત્ર રત્નત્રયીની યથાવિધિ આરાધના કરી જે ધન્ય નરો પરમ પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ, સકળ કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામીને પરમાનંદ-મોક્ષપદ પ્રાપ્ત કરે છે તેઓ જ ખરેખર પ્રશંસવા અને અનુકરણ કરવા ગ્ય છે.
૦ છે.
બoooooooooooo { Sઈoon૦૦૦(S૦૦૦
ઋગીee૫૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦(૯) ૦૦૦૮
se
૦ ૦
૦૦૭
છે ઈતિ શ્રી સૂક્તમુક્તાવલ્યાં ચતુર્થ
પુરુષાર્થરૂપ મેક્ષવર્ગ સમાપ્ત
૦૦૦૦૦૦૦૦R
::