________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી વૈયાવચમાં ખલેલ ન આવે–તેમાં વધારો થવા પામે તે ઉત્તરોત્તર વૃદ્ધિકારક તપ કરવા લક્ષ રાખવું. ૬ સંયમ–પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો-ઈન્દ્રિયોને કબજામાં રાખવી. શબ્દાદિ પાંચ વિષયસુખમાં વૃદ્ધ–આસક્ત બનવું નહિ. ક્રોધાદિક ચાર કષાયને વશ થવું નહિ. હિંસાદિ પાંચ દેથી દૂર રહેવું. સહુ જીવને આત્મ સમાન ગણવા, તથા મન-વચન-કાયાને સારી રીતે કેળવી કબજે રાખવામોકળા મૂકવા નહિ. ચપળતા નિવારી સ્થિરતા આદરવી.
એ રીતે સત્તર પ્રકારથી આત્માનું સંયમન કરવું ૭ સત્ય વચન—હિત-મિત અને પ્રિય એવું તથ્ય-સત્ય
વચન બોલવું. ૮ ઈંચ--રાગદ્વેષાદિ કષાયમળને ટાળી આંતરશુદ્ધિ કરવી.
એટલા માટે સાવધાનપણે દેવગુરુની આજ્ઞા મુજબ ચાલવું
અને ચારે પ્રકારનું અદત્ત પરિહરવું, ૯ અકિંચનતા–પરિગ્રહની મમતા-મૂચ્છને ટાળી નિ:સ્પૃહ
નિઃસંગ રહેવું. ૧૦ બ્રહ્મચર્ય–સર્વ અબ્રહ્મ-મૈથુનને ત્યાગ કરી, મન-વચનકાયાથી પવિત્ર શીલ-બ્રહ્મચર્યવ્રત પાળવું.
દ્વિતીય અર્થવગ. અરથ અરથ જેથી, અર્થથી સિદ્ધિ થાવે, ધરમ કરમ સિદ્ધિ, અર્થવિણુ કે ન પાવે;
સકલ વિભવ કેરે, અર્થ એ સાર જાણી, 1 સંપત પ્રવરકેરે વાવ સૈખ્ય ખાણી. ૨.