________________
લેખ સંગ્રહ
[૪૧ ] સેવાય છે તે જ્ઞાન શા કામનું? ઇન્દ્રિયનું દમન ન કરાય તે જીવિત શા કામનું? તે ધન, તે બળ, તે જ્ઞાન અને તે જીવિત જ સફળ છે કે જેને સ્વપર ઉપકાર માટે ઉપયોગ કરી શકાય છે.
૮ સંપૂર્ણ કુંભ છલકાતો નથી, અધૂરો ઘડો હોય તે જ છલકાય છે, વિદ્વાન અને કુળવંત હોય તે ગર્વ કરતા જ નથી, જે સદ્દગુણ વગરના હોય છે તે જ બહુ બકવાદ કરતા આપવડાઈ હાંકે છે.
૯ સગુણોરૂપી સાચા રત્નોને સંચય કરી લેવા સદાદિત પ્રયત્ન સેવ.
ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૦૮ ]
શાસ્ત્ર ઉપદેશ યાને હિતશિક્ષા ૧ હે મિત્ર! સપુરુષથી અપમાન પામવું સારું પણ નીચની સોબતથી કુલાવું સારું નથી. ઘડાની પાટુ ખાનારે શોભે છે પણ ગર્દભ ઉપર અસ્વારી કરનાર શોભતો નથી. પુરુષનું કટાક્ષ વચન પણ પરિણામે ઘણું જ લાભદાયક થાય છે, પણ નીચની પ્રશંસા લાભકારી થતી નથી–એમ સમજી નીચેની સંગતિ તજી ઉત્તમની જ સંગતિ કરવી.
૨ સહુનું સારું ચિન્તવવાથી આપણું પણ સારું થાય છે, અને સહુનું બૂરું ચિંતવવાથી આપણું પણ બૂરું થાય છે. જેવું કરવું તેવું જ પામવું.