________________
[ ૩૮ ]
શ્રી કપૂરવિજયજી માન્યું સુંદર આવે છે, આક્ષેપક શૈલી તો ઊલટી વિઘાતક નિવડે છે. તેને ત્યાગ કરવામાં જ ખરું ડહાપણ રહ્યું છે. ઈતિશમ્
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૪૧. ]
સજ્જન મહાશયને કદાપિ પ્રકૃતિવિકાર થવા
પામતે નથી. ૧ ગાય, ભેંશ અને અજાદિકનાં દૂધનું દહીં બીજે દિવસે કે તે દિવસે જ (તત્કાળ) થાય છે; પરંતુ ક્ષીરસમુદ્ર તે અદ્યાપિ પર્યત જેવો ને તેવો વિકૃતિ રહિત રહ્યો છે. તેનું દહીં થવા પામ્યું જ નથી. ખરી વાત છે કે મહાશયને વિકાર કેમ થાય ?
૨ ગંગા નદી પાપને, ચંદ્રમા તાપને અને કલ્પતરુ વૃક્ષ દીનતાને દૂર કરે છે, ત્યારે સંત મહાશયે પાપ, તાપ અને દીનતા એ બધાને દૂર કરી નાંખે છે. સંતોને સમાગમ સદા ય સુખદાયી નિવડે છે.
૩ પ્રકોપિત કરેલા એવા સંત-સાધુનું મન વિક્રિયા પામતું . નથી. એક ઉંબાડીયાવડે સમુદ્રનું પાણી કંઈ ગરમ થઈ શકતું નથી.
૪ પરોપકાર કરે, પ્રિય બલવું અને સાચો નેહ કરે ... તે સજનોને કુદરતી સ્વભાવ જ હોય છે. ચંદ્રને કોણે શીતળ કર્યો છે? જેમ એ સ્વાભાવિક રીતે શીતળ છે તેમ સજજને આશ્રી પણ સમજી લેવું.
૫ સજજનેની સમીપે કહેલા સૂક્ત વચને શેભાને પામે