SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી ૭ સ્વત: પરોપકાર કરવા પ્રેમ પ્રગટે અને પરોપકાર સાધે. ૮ જે કાર્ય આદરે તે કાર્ય કુશળતાથી પાર પાડે એવી કાર્યદક્ષતા હેય. ૯ શરીરની આરોગ્યતા અને ઇન્દ્રિયપટુતાદિક સંબંધી સારી રીતે સંભાળ રાખે, એમ સમજીને કે તે બધાં ધર્મસાધનના અંગરૂપ છે. એ અને બીજા કેટલાક ગુણો ઉપર વર્ણવ્યા છે, તે સાથે હૃદયની કોમળતા પ્રમુખ સગુણવડે જીવ શ્રાવકધર્મને લાયક બને છે. ૯ પ્ર–આ બધા ગુણો બહુ જ ઉપયોગી હોવાથી બારીકીથી સમજીને અવશ્ય આદરવા ગ્ય છે. તેનું વિશેષ વર્ણન કયાં મળી શકે ? ઉ૦–અસરકારક રીતે દાખલા દલીલે સાથે તે ધર્મ રત્નપ્રકરણ, ધર્મબિન્દુ વિગેરે ગ્રંથના ભાષાંતરોમાં તેનું વિશેષ વર્ણન જોઈ શકાશે. બાકી સામાન્ય રીતે તો જૈનહિતોપદેશ ભાગ-૧-૨-૩, અને શ્રાવક કલ્પતરુ વિગેરેમાં પણ તેનું વર્ણન જોઈ શકાશે. ૧૦ પ્ર–શ્રાવક શબ્દનો અક્ષરાર્થ શું થઈ શકે ? ઉ૦–શ=શ્રદ્ધાવંત, વ=વિવેકવંત, અને ક=કિયાવત એ અર્થ થાય. ૧૧ પ્ર–સામાન્યત: શી શી કરણીથી શ્રાવકજીવન સાર્થક લેખાય?
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy