________________
લેખ સંગ્રહ
[ ૨૫૯ ] ખુશ કરવાને તમે બંધાયેલા નથી. જો તમારો આત્મા સંતુષ્ટ થશે તો જનસમાજ પ્રસન્ન થવો જ જોઈએ એ સિદ્ધાન્ત છે.
૧૬ કામ કરતી વખતે તમારું તેમાં પૂર્ણ ધ્યાન હોવું જોઈએ, અને તેને જરૂર વિનાની બાબતોથી હરકત ન પહોંચવી જોઈએ.
૧૭ જ્યારે કામ પૂરું થાય ત્યારે મનુષ્ય જ્યાં આત્મા વાસ કરે છે ત્યાં જ્ઞાનપ્રદેશમાં જઈને વિશ્રાન્તિ લેવી જોઈએ. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૩ ]
(૫) આત્મિક ઉન્નતિનો સરલ માર્ગ. ૧ કોઈ પણ સત્કાર્ય કરતાં તેના ફળ માટે-પરિણામ માટે અધીરા થશે નહિ. ફળ-પરિણામ મળતાં વખત–વિલંબ લાગશે, પરંતુ અસર આબાદ થશે. ઉતાવળે આંબા પાકતા નથી.
૨ વિચારોને પવિત્ર-ઉચ્ચગામી કરો, સત્ય માર્ગે દોરો.
૩ શાન્તિ કેમ રાખવી તે શિખ અને વિચાર પવિત્ર રાખે, તો કેઈની તાકાત નથી કે તમારી વિરુદ્ધ જાય. મન સ્થિર રાખશો તો સર્વ ઈચ્છાઓને જીતી શકશે. સ્વપર ઈચ્છાઓનો ગેરુપયોગ ન કરશે.
૪ ઈચ્છા ઘડાઓ જેવી છે. જે તેની પૂછડી પકડે છે તે તેની સાથે ઘસડાય છે ને ખાડામાં પડે છે.
૫ ઈચ્છારૂપી ઘેડાની પૂંછડી પકડશે નહિં, પણ તેના ઉપર સ્વારી કરજે. તેથી તે ઊલટે સહાયક થશે.