________________
લેખ સંગ્રહ
[૧૧૭] ૨૧ તેવી સ્ત્રીના ફંદમાં કઈ રીતે ન ફસે તેને જ ખરો ચતુર સમજે.
૨૨ ગમે તેટલી ઋદ્ધિ ધરાવતો હોય પણ જે સંતોષ ન હોય તો તેને દરિદ્ર જ સમજે, કેમકે તેને પણ ચિંતા અને હાયવરાળ પારવગરની હોવાથી ખરી સુખશાંતિ ભાગ્યે જ હોઈ શકે.
૨૩ યાચના કે દીનતા કરવી એ જ લઘુતાનું મૂળ સમજે.
૨૪ કોઈને કંઈ પણ ઉપતા ઉપજાવ્યા વગર શાન્તરસમાં ઝીલાય અને બની શકે તેટલે પરોપકાર નિષ્કામપણે કરાય તે જ નિર્દોષ જીવન જાણો. શાંત અને સદાચરણવાળું જીવન જ ખરું જીવન સમજે.
૨૫ છતી બુદ્ધિએ ડેબ જેવા રહેવું એને જ ખરી જડતા સમજે.
રદ જેમના વિવેજ્યુચન ઉઘડ્યાં છે તેને જ ખરા જાગ્રત સમજે.
૨૭ જેમના વિવેચન મચાયેલા હોય તેને જ ખરા ઊંઘતા સમજે.
૨૮ ચોવન, લક્ષ્મી અને આયુષ્ય ક્ષણિક છે એમ સમજી તેનાથી બની શકે તેટલે લાભ લઈ લેવા પ્રમાદ તજી, ચીવટથી પ્રયત્ન કરે.
૨૯ ખરી શાન્ત–શીતળતા મેળવવા ઈચ્છતા જ હો તો કપવૃક્ષ સમાન સંત-મહાત્માઓની સેવા-ઉપાસના કરો.