________________
[ ૧૧૪ ]
શ્રી કપૂરવિજયજી સંપૂર્ણ લક્ષપૂર્વક વાંચી કે સાંભળી, તેનું મનન કરી, સતુ સત્વને આદરી અને ત્યાગ કરે, ત્યાગ કરતાં શીખો, જેથી સર્વ દુઃખને સર્વથા અંત થવા પામે. ”
૧ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ મહાવ્રતને પાળતા અને અન્ય જીવોનો પણ ઉદ્ધાર કરવા નિઃપૃહપણે પ્રવર્તતા એવા સદગુરુના હિતવચનને તમે સાદર હૈયે ધરે.
૨ હિંસા, અસત્ય, ચેરી, વિષય-તૃષ્ણાદિક પાપસ્થાનકેથી જેમ બને તેમ સમજીને દૂર રહેવા પ્રયત્ન કરે.
૩ જેમ કંચનને કસી લેવામાં આવે છે અને નાણું પરખી પરખીને લેવાય છે, તેમ શિષ્ય થવા ઈચ્છનારે ગુરુની તેમ જ ગુરુએ શિષ્યની ભલી રીતે પરીક્ષા કરી ગ્યતા આથી ખાત્રી કરી લેવી જોઈએ, કે જેથી ઉભયને લાભ જ થવા પામે ગ્ય અયોગ્યની પરીક્ષા કર્યા વગર આંધળુકિયા કરવાથી બધા અનિષ્ટ પરિણામ ઉભયને આવે છે, તેમ નહિ થતાં શુભ જ પરિણામ આવે તેવી રીતે વિવેક ચક્ષુથી બરાબર તપાસ કરી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ.
૪ સંસારના મૂળભૂત અને સંસાર પરિભ્રમણને વધારનારા રાગદ્વેષરૂપ કષાયોનો ઉચ્છેદ કરવા અને દઢ મનથી વિષય-આસક્તિ તજી સમતારસમાં ઝીલવા સાવધાનપણે પ્રયત્ન કરો.
૫ યથાર્થ સમજ વગરની એકલી દ્રવ્યક્રિયા કરવાથી તેમ જ યથાર્થ ક્રિયા વગરના એકલા પાંગળા જ્ઞાનથી સિદ્ધિ થઈ શકશે નહિ. યથાર્થ જ્ઞાન અને ક્રિયા એ ઉભયના સંગથી જ મુક્તિ મળી શકશે.