SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૬ ] શ્રી કરવિજયજી સમભાગી રહે, ખરી આપદામાં કસોટીના વખતે ત્યાગ નહિ કરતાં તેવા પ્રસંગે અધિક કાળજીથી તેને ઉદ્ધાર કરવા તન, મન, ધનને બનતેગ આપે; બીલકુલ સ્વાથી નહિ પણ સ્વાર્થ ત્યાગી જ બને. ખરા મિત્રમાં ઉપર પ્રમાણેના લક્ષણો હોય છે, એમ જ્ઞાની પુરુષ પ્રગટ કહે છે, ઉક્ત ગુણો પ્રગટાવવા આપણામાં બળસામર્થ્ય પ્રગટે અને સ્વપરહિત કરવાની અનુકૂળતા થાય. સાર–ખરેખર જે આપણે આપણી જાતના (પિતાના ) તેમ જ અન્યના સાચા મિત્ર જ થવાની ઈચ્છા હોય તો પ્રથમ આપણે જાતે જ દરેક પાપસ્થાનકથી દૂર રહેવું જોઈએ. હિંસા, અસત્ય, અદત્ત, મૈિથુન અને પરિગ્રહાદિકથી વિરક્ત બની નિપુ તાથી દયા, સત્ય, અર્ય, શીલ, સંતેષાદિક સગુણોને દૃઢ મનથી ધારવા જોઈએ, “ પપદેશે પાંડિત્યમ્ ” તજી આપણી જાતને જ પ્રથમ શિક્ષણ આપી સુધારવી જોઈએશાણ કરવી જોઈએ. આપણે પ્રમાદપડતને પરિહરી સ્વાશ્રયીબની, સ્વપુરુષાર્થબળે અહિતમાર્ગ તજી, હિતમાર્ગને આદર કર જોઈએ. તેમાં ખલના થવા દેવી ન જોઈએ. થતી ખલના દૂર કરી હિતમાર્ગમાં અખલિત પ્રયાણ કરવું જોઈએ. કેઇન પ્રત્યે પ્રતિકૂલતાભર્યું આચરણ કદાપિ નહિ કરતાં સદા સાનુકૂળ સુખકારી આચરણ જ આચરવા ખાસ લક્ષ રાખવું જોઈએ. પારકાં છિદ્ર (ચાંદા) નહિ જોતાં હંસની પેઠે સારગ્રાહી બની સદ્દગુણને જ ગ્રહણ કરી લેતાં શીખવું જોઈએ. ઝવેરીની પેઠે ગુણની કદર કરવી જોઈએ. જાતે સગુણ બની સગુણવંત તરફ પૂર્ણ પ્રેમ રાખવો જોઈએ. નિઃસ્વાર્થ પણે શુદ્ધ પ્રેમી બનવું જોઈએ. સ્વાત્માણવડે સ્વાર્થ ત્યાગી થવું
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy