________________
માતૃભકત મહાવીર
વિભાગ બીજો
: માતા પિતાનું કર્તવ્યઃ સંતાનોને સમૃદ્ધિનો જ નહિ સંસ્કારોનો પણ વારસો આપે.
જૈનદર્શને અરિહંત પરમાત્માનો જો કોઈ મુખ્ય ગુણ દર્શાવેલો હોય તો તે કરૂણા છે. કોઈપણ આત્મા તીર્થંકર ત્યારે જ બની શકે છે,
જ્યારે એના હૃદયમાં જગતના સર્વ જીવો પ્રત્યેની કરૂણા પરાકાષ્ઠાએ પહોંચે, જ્યારે કોઈપણ જીવાત્માનું દુઃખ એનાથી જોયું ન જાય.
“કયારે મારામાં એવી શકિત આવે, કયારે મને એવી તક મળે કે જગતના તમામ જીવોને તમામ દુઃખોમાંથી મુકત કરી દઉં અને સૌને સાચા સુખના રસ્તે ચઢાવી દઉં.” આ ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે તે આત્મા તીર્થંકર થવાનું નક્કી કરી નાખે છે.
‘સવિ જીવ કરૂં શાસન રસી, ઐસી ભાવ દયા મન ઉલ્લસી' એની એક જ ઝંખના હોય છે કે સર્વ જીવોને આ ધર્મશાસનના
૪૧