________________
દિકરો પણ તમારા માટે તમારા જેવો જ રસ્તો અપનાવવાનો છે. અને તે વખતે તમારાં માબાપની કકળી ઉઠેલી આંતરડીના અભિશાપ તમને બૂરી રીતે નડવાના છે.
આ પર્યુષણ પર્વના દિવસોમાં ભગવાન મહાવીરનું જીવન આપણને પાયાની પ્રેરણા આપે છે. જેમણે પોતાના માતાપિતાના ઉપકારોને સતત સ્મરણમાં રાખીને, એમના આત્માને ઠારીને એમની આંતરડીની આશિષ મેળવી છે એમના જેવું ધન્યવાદને પાત્ર આ દુનિયામાં બીજું કોઈ નથી.
| માતાપિતા હોય ત્યારે એમનો ભાવ પણ પૂછો નહિ ને પછી કોઈક પાંજરાપોળમાં જઈ પાંચ-દસ હજાર રૂપિયા આપીને એમનો ફોટો મૂકાવી આવો એટલે તમે માતાપિતાના ભકત બની ગયા છો એમ ન માનતા. એમનો ફોટો નહિ મૂકાવો તો ચાલશે પણ એમની લાગણી નહિ સંભાળો તે નહિ ચાલે.
આજના દિવસે મારે તમને આટલું જ કહેવાનું છે. આપણે આપણા કર્તવ્યો પ્રત્યે જાગૃત બનીને બાળકો પ્રત્યેની ફરજો પણ વિચારવાની છે ને માતાપિતા તેમજ વડીલો પ્રત્યેની ફરજો પણ વિચારવાની છે. આ રીતે વિચારી શકીશું તો જ આપણે ધર્મના સાચા અધિકારી બની શકીશું.
પર્યુષણ પર્વના દિવસોમાં સાચું ચિંતન જાગે, આવી પ્રેરણાઓ દ્વારા આપણો અંતરાત્મા જાગે ને આપણું જીવન પરિવર્તનના પંથે વળે તો જ આ પર્યુષણ પર્વની આરાધના સફળ થઈ ગણાશે.
પર્યુષણ પર્વની આરાધના દ્વારા આપણે આપણા જીવનમાં સફળતાના શિખરો સર કરીએ એ જ શુભેચ્છા.
૪૨