SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે કહી, મદનમંજરીને લઈ,પાંજરામાં રાજકીર પોપટને સાથે લઈ કુમાર ઘણા સૈન્ય સાથે ભરૂચનગરે જવા માટે ભૃગુરાજાની સાથે ચાલ્યો. ભરૂચનગરીના લોકો મદનમંજરીના સ્વામીને જોવા માટે સામૈયાના ઠાઠ સાથે નગર બહાર આવ્યા. પોતાની નગરીને શણગારી છે. નગરના રાજમાર્ગે થઈ કુમાર રાજદ્વારે આવી પહોંચ્યા. રાજપરિવારે તેમનું સ્વાગત ઘણા મોટા આડંબરપૂર્વક કર્યું. ભૃગુરાજાએ પુણ્યશાળી જમાઈરાજ ચંદ્રકુમારને રહેવા માટે દેવલોકમાં રહેલા દેવોના આવાસ જેવો રમણીય રાજમહેલ આપ્યો. સાથે સેવા કરવા ચતુર સુજાણ દાસદાસી વર્ગ પણ મૂકયો. ચંદ્રકુમાર અને મદનમંજરી બંને ત્યાં સુખભર રહેતાં, આનંદપ્રમોદ કરતાં, લીલાલહેર કરતાં હતાં. એકદા ભરૂચનગર બહાર કુસુમ નામના વનઉદ્યાનમાં વિજયસેનસૂરીશ્વરજી આચાર્ય ભગવંત પોતાના શિષ્ય આદિ પરિવાર સાથે વિહાર કરતાં પધાર્યા. વનપાલકે આચાર્ય ભગવંત આદિ મુનિ ભગવંતો પધાર્યાની વધામણી ભૃગુરાજાને આપી. વધામણી પામતાં રાજાદિક પરિવાર સૌ આનંદ પામ્યા. વધામણીના બદલામાં ઘણું દાન આપી ઉદ્યાનપાલકને વિદાય કર્યો. રાજાદિક પરિવાર સહિત વંદન કરવા માટે પૂર્વધર પુરુષ પાસે સૌ પહોંચ્યા. પુર્વધર મહાન આચાર્ય હતા. વિવેકી કુમાર સાથે રાજાએ પણ વિધિવત્ વંદન કરી દેશના સાંભળવા સૌ પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા. ધર્મ પરમગુરુ દુર્ગતિ પડતાં દાન મન -: ઢાળ-પહેલી : - (ઈડર આંબા આંબલી રે, એ દેશી...) ભાખીયો પ્રાણીને સમજો રે, તત્વ રત્નત્રયી સાર; રે, ધર્મ પરમ આધાર; સુગુણનર; થય ધર્મ વિતા પશુ પ્રાણીયા રે; વે શરણવિહુણા પરભવે રે, દુઃખીયા ટીન મઝાર....આંકણી પાવા આ સંસાર; અવતાર...સુગુણ. પી શીયલ તપ ભાવના રે, સમક્તિ મૂલ વ્રત બાર; વચ કાયાએ સેવતાં રે, સ્વર્ગગતિ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૧૬૨ અવતાર...યુ. ||૩||
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy