________________
જેમ બાળક વિના પારણું, કાળ વગરનો મેઘ, સંપત્તિ વગરનો અતિથિ અને વિતેલા યૌવન પછીનો પ્રેમ શોભે નહિ, તેમ દયા વગરનો ધર્મ લાગે.
જેમ જોગ વિના જોગી, મન વગરનું ધ્યાન, વર વિનાની જાન અને ગુરુ વિના ગચ્છ શોભે નહિ તેમ દયા વિના ધર્મ હોય નહિ. (શોભે નહિ.)
વળી આગળ કવિ કહે છે કે, જેમ દાતા વિના યાચક, પ્રાણ વિનાનો દેહ હોય નહિ તેમ દયા વગર ધર્મ હોય નહિ એવું સુગુરુ ભાખી ગયાં છે.
દૂહા ||
સુગુરૂ પયપઇ સુગણ સુણિ, સમઝે શાહાસ્ત્ર વિચાર ।
પર પ્રાણી તો ઊગરઇ, લહીઇ સ્મુધ આચાર ||પર ||
કડી નંબર પરમાં કવિ સુગુરુને વંદન કરીને શાસ્ત્રનો મર્મ સાંભળીને જીવદયા પાળવી એમ ઉપદેશ આપે છે.
સુગુરુને વંદન કરી તેમનાં સારાં વચનો સાંભળીને શાસ્ત્રના મર્મનો વિચાર સમજીને, પર પ્રાણીને બચાવવાથી શુદ્ધ આચારની પ્રાપ્તિ થાય છે.
ઢાલ|| ૪૨ ।।
દેસી. જો રઈ જન ગતિ સ્યુભુની ।। રાગ. મલ્હાર // દેસી. બીજી કહઈણી કરણી । તુઝ વિણિ સાચો //
ઊતમ ફુલનો એ આચાર, ષટ વેદ ચંદઆ બંધઇજી ।
જિવજતન જગિ એણિ પરિ કરસઇ, તે સ્યુભ મારગ સંધઇજી ||૫૩ ||
ઊતમ કુલનો એ આચાર. આંચલી ।।
પિહઈલો ચંદરૂઓ જલ પરિ પેખો, બીજો ખંડણ ઠાંમિ જી |
જિવદયા વિન જગિ બહુ બુડા, ઘર ધંધા નિં કાંમિ જી ૫૪।। ઊતમ કુલ.
ત્રીજો ચંદઓ પીસણ દામિં, ગંધણિ ચોથો જાંણોજી ।
જીવ મરતાં પાતિગ બોહોલું, એ નીસઈ મનિ આંણોજી ||૫૫|| ઊતમ કુલ. છઠો છા નિ સંગિજી । અઠમ સેયા રેંગિજી ।।૫૬ ।। ઊતમ.
ભોજન ભોમિં કહું પાંચમો, સતમ વલી સંઝે ઠાંમિ,
પડીકમણઈ પણિ પેખો જી | તો સીવમંદિર દેખોજી ।।૫૭ ।। ઊ. ઊતમ નહી આચાર જી જીવ જંત્રમાંહિ પણિ પીલિં, પાતીગનો નહી પાર જી ।।૫૮ ||
એકંદ્રી અણસોઝિ દલતાં,
નોમો વલી દેહેરાસર હાંમિ, જો જિનવચનાં સુધાં પાલુ,