SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧) ધર્મ ભાવના : ધર્મ ભાવના એવી રીતે ભાવવાની છે કે, ધર્મ કર્યા વગર આત્માને મુક્તિ મળતી નથી તે નિશ્ચયથી માનો. આમ સંસારી માટે ધર્મ ભાવના સારી છે. ૧૨) બોધિ ભાવના : બોધિ ભાવના બારમી કહી છે. સહુ મુનિવરો તે ભાવના ભાવો. શુદ્ધ સમકિતને આનંદપૂર્વક રાખો કે જેનાથી ભવફેરા (જન્મ-મરણ) ટળી જશે. દૂહા || કાજ સકલ સીઝઈ સહી, જે ગુરૂ વંદઈ પાય | ગુરુ ગુણવંતો તે કહુ, પરીસઈ ન દોહોલ્યુ થાય //ર૪ // પરીસા બાવીસ જીપતો, પરીસઈ ન જીત્યો જેહ / ઋષભ કહઈ ગુરૂ તે ભલો, સહુ આરાધો તેહ //ર૫ //. કડી નંબર ૨૪-૨૫માં કવિ જે ગુરુએ પરીષહો જીત્યા છે એવા ગુરુની આરાધના કરવાનું કહે છે. જે ગુરુના ચરણ વંદન કરે છે, તેના બધાં જ કાર્ય સારી રીતે પાર પડે છે. ગુણવાન ગુરુ તે છે કે જે પરીષહથી ગભરાય નહિ. જેમણે બાવીસ પરીષહ જીત્યા છે પરંતુ પરીષહ તેમને જીતી શક્યા નથી. આવા ગુરુ શ્રેષ્ઠ છે, તેમને સહુ આરાધો. ઢાલા ૧૪ દેસી. ત્રપદીની // જે મુની ચાત્ર રેગિ રમસઈ તે નર બાવીસ પરીષહ ખમસદ કાલ સુખિં તે ગમસાં, હો રખ્યજી. કાલ. //ર૬ // નૃધ્યા તણો પરીસો તે પઇલ્ડલો, માધવસૂત મન ન કીઉં ભઈલો / ઢંઢણ મુગતિ વઈહઇલ //ર૭ // હો રમ્યુજી ત્રીજા તણો પરીસોએ વીચારો, જલ ઊતરતો રષિ સંભારો ? એમ આતમ તુમ તારો //ર૮ // હો રખ્યજી. સીત કાલનો પરીસો સાચો, જીવ ખમત મ હોઈશ કાચો / સુખ લહીઈ અતી જાચો //ર૯ // હો રખ્યજી. ઉષ્ણકાલ આવિ મમ ધુ, સોય સંઘાતિ સાહામાં જઝો | જો જિનવચનાં બુઝો //૩૦ // હો રખજી. <સમસા મમ દૂવો હાર્થિ, તે પરીસો ખમીઇ નીજ જાતિ પૂર્વ ચલાચી ભાતિ //૩૧ // હો. વસ્ત્ર તણો પરીસો પણી જાણો, મઇલાં ફાટાં મનિ મમ આણ / કો મમ વસ્ત્ર વખાણો. //૩ર // હો રખ્યજી.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy