________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૮૫ મુજબ છે. જેન ગૂર્જર કવિઓ (ભાગ-૮)ના આધારે લખી છે. ઢાલ-૧ પ્રણમી તુહ્મ સીમંધરૂજી પરજીઓ (સકલચંદ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્તવન
૧૬, સં. ૧૬૫૦ આસ.) (પૃ. ૧૫૦) ઢાલ-૨ પાટ કુસુમ જિનપૂજ પરૂપઈ-આસાઉરી-(ઋષભદાસકૃત ક્ષેત્રપ્રકાશ રાસ
| (સં. ૧૬૭૮) તથા કુમારપાલ રાસ) (સં. ૧૬૭૦) (પૃ. ૧૬૧) ઢાલ-૩ એણી પરિ રાજય કરંતા રે-ગોડી,
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ સં. ૧૬૭૦ - મૃ. ૩૮) ઢાલ-૪ તે ચઢીઓ ઘણ માન ગજે-ધન્યાશ્રી
(લાવણ્યસમયકૃત વચ્છરાજ રાસ સં. ૧૫૭૦) (પૃ. ૧૧૩) ઢાલ-૫ બંધવ જઈ લાવું પાણી ઢાલ- ચંદ્રાયણિનો અઘોર પાપ તણા અધિકારી
(ઋષભદાસકૃત ભરતરાસાદિમાં પૃ. ૭૭) ઢાલ-૭ ભાદરવ ભંશમ ચાણી રાગ-શામેરી (ભાવે ભેંશમાચાણી)
(ઋષભદાસકૃત ભરતરાસ સં. ૧૬૭૮, કુમારપાળરાસ સં. ૧૬૧૨ પૃ. ૧૮૧) ઢાલ-૮ ત્રપદીનો દેશી હો ભાવિકજના
(ઋષભદાસની કૃતિઓમાં દા. ત. ભરતરાસ વગેરે પૃ. ૧૦૭) ઢાલ -૯ સાંસો કીધો સામલીએ - ઋષભદાસકૃત-જીવવિચાર ચોપાઈ, ભરત રાસ, ક્યવન્નાનો રાસ વગેરે
(પૃ. ૨૭૬) ઢાલ-૧૦ એણી પરિ રાજય કરંતા રે -ઢાલ-૩માં એ જ છે. ઢાલ-૧૧ એણી પરિ રાજય કરતા રે- ઢાલ-૩માં એ જ છે.
આમ -એણી પરિ ત્રણ ઢાલમાં છે બાકીની ઢાલની અલગ દેશી લેતાં નવ દેશીઓ છે.
હરિયાળી -
એ જૂની ગુજરાતી ભાષામાં ખેડાયેલો એક કાવ્યપ્રકાર છે. કોઈક ધાર્મિક, આધ્યાત્મિક તત્ત્વ, વસ્તુ વિચારને ચમત્કારિક સમસ્યારૂપે રજૂ કરતી હરિયાળીઓ ઉચ્ચસ્તરનો બૌદ્ધિક આનંદ આપી જાય છે.
- હરિયાળી સાહિત્યનો એક એવો ગંભીર સાગર છે જેમાં ડૂબકી લગાડનાર અનાયાસે અનેક અનમોલ મોતી પ્રાપ્ત કરે છે.
હરિયાળીનો અર્થ છે બુદ્ધિને તીક્ષ્ણ કરવાવાળું યંત્ર, કાવ્યમય ઉખાણું.
જેના પરિભાષા - હરિયાળીઃ એક એવું પદ્ય છે જે સરાસરી દૃષ્ટિથી જોવા પર વિચિત્ર અને પરસ્પર વિરોધી લાગે પરંતુ વાસ્તવિક અર્થ કાંઈક બીજો જ હોય.
ગુજરાતી ભાષામાં એને વિપરીત વાણી કે અવળવાણી પણ કહે છે. અલંકાર સાહિત્યમાં એને વિપરીત અલંકાર કહેવાય છે.