SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જૈનેતર દર્શનના ગ્રંથોમાં આત્માનું સ્વરૂપ હિંદુ ધર્મના પાયારૂપ પ્રસ્થાનત્રયી (આધ્યાત્મિક ઉન્નતિ માટેના ત્રણ પુસ્તકો) ગીતા, ઉપનિષદ્ અને બ્રહ્મસૂત્રો મળીને થાય છે એમાંથી “શ્રી ભગવદ્ ગીતામાં” આત્માનું સ્વરૂપ न जायते मियते वा कदाचिन, नाचं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणो, ન કન્ય જમાને શરીરે ૨૦I આત્મા માટે કોઇ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી તે ક્યારેય જમ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી. (ભગવદ્ગીતા તેના મૂળ સ્વરૂપે - લે. શ્રીમદ્ એ. લી. ભક્તિવેદાંતસ્વામી પૃ. ૭૧) नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२३॥ अच्छेयोऽयमदाह्योऽयमक्लेयोऽशोष्य एव च। નિત્યઃ સર્વતઃ સ્થાણુરવતોડયું સનાતનઃ II II અથાત્ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો. નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી. આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સુકવી શકાતો. તે ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા સદા એકસમાન રહેનારો છે. (ભગવદ્ગીતા પૃ. ૭૪-૭૫) કઠોપનિષમાં આત્માનું સ્વરૂપ ગોરળીયાન મતો કીયાન, ગાભાચ બન્નતિો કયાIIII. અર્થાત્ - અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આ આત્મા હૃદયની ગુફામાં રહેલો છે. જેમાં ફેરફાર નથી વધઘટ નથી, જૂનું નવું નથી, પરિવર્તન નથી, તે પહેલા પણ હતું, આજે પણ છે અને સદાય રહેવાનું પણ છે. અર્થાત્ તે સમયથી મુક્ત છે. તે જ તત્ત્વ - સત્ત્વ એક અદ્વિતીય સત્ છે. ત્રિલોડપતિષ્ઠતિતિ સત્ ત્રણે કાળમાં હોય તે સત્. * (અપરોક્ષાનુભૂતિ તદ્રુપાનંદજી પૃ. ૯૧) કનોપનિષમાં આત્માનું સ્વરૂપ श्रोतस्य श्रोत्रं, मनसो मनो यद् वाचोहवाचं स उ प्राणस्य प्राणः चक्षुषः चक्षु अतिमुच्य घोराः
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy