SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સમાવેશ થાય છે. ‘શ્રી આચારાંગસૂત્ર’માં પ્રથમ અધ્યયનમાં પાંચ સ્થાવર જીવોની પંચેંદ્રિય જીવો સાથે તુલના કરીને સ્થાવર જીવોના જીવત્વની સિદ્ધિ કરી છે તેમ જ પુનર્જન્મ દ્વારા જીવની ત્રૈકાલિકતાની પણ સિદ્ધિ કરી છે. આ પ્રમાણે આત્મા બે પ્રકારના કહ્યા છે. સંસારી આત્મા અને મુક્તાત્મા. ‘યશ્વ વિજ્ઞાતા પવાર્થાનાં રિચ્છેવવઃ ૩પયોન' વિજ્ઞાતા અવસ્થા જ ઉપયોગ અવસ્થા છે. આત્માનું આ સ્વરૂપ સંસારી આત્મા માટે છે. મુક્તાત્માનું સ્વરૂપ આનાથી સર્વથા ભિન્ન છે. મુક્તાત્મા અનુસંચરણથી અતીત છે. આ જ સૂત્રમાં ૫ માં અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશામાં મુક્તાત્માઓનું અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવ્યું છે. 'सव्वे सरा णियद्वंति, तक्का जत्थ ण विज्जइ, मई तत्थ ण गाहिया । ओए अप्पइद्वाणस्स खेयण्णे । સે ન વીકે, ન સ્સે, ન વધે, ન તસે, ન પરસે, ન રિમંકલે, ન વિઝ્હે, ન નીલે, ન સોહિ, ન ફાલિવે, ન સુશ્ર્લેિ, ન શ્મિનંધે, ન દુભિનંધે, ન તિત્તે, ન વઝુર્, ન વસાણુ, ન સંવિલે, ન મટ્ટુરે, ન વડે, ળ મગ, ન મરુત્, ન લકુર, ન સીટ્, ન કણ્ડે, ન ગિને, ન સુવચ્ચે, ન પગ, ન રુડે, ન સંગે, ન ત્યી, ન રિસે, ન અાજ્ઞા परिणे सण्णे । उवमा ण विज्जइ । अरुवी सत्ता अपयस्स पयं णत्थि । સે ન સકે, ન વે, ન બંધે, ન રસે, ણ પગસે, વ્રેયાવંતિ ત્તિ સેમિય’ ભાવાર્થ - “તે મુક્તાત્માનું સ્વરૂપ કે અવસ્થા બતાવવા માટે કોઈ શબ્દો નથી, બધા સ્વરો નિવૃત્ત (પાછા ફરે) થાય છે, ત્યાં કોઈ તર્ક પણ કામ આવતો નથી, ત્યાં મતિ પણ કાંઈ જ ગ્રહણ કરી શકતી નથી, તે બુદ્ધિથી ગ્રાહ્ય નથી. તે સર્વ કર્મરૂપી મેલથી રહિત છે. મોક્ષ અને સંસારના સ્વરૂપના જાણનાર છે. તે દીર્ઘ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચતુષ્કોણ નથી, પરિમંડળ નથી, કાળો નથી, લીલો નથી, લાલ નથી, પીળો નથી, સફેદ નથી, સુગંધી નથી, દુર્ગંધી નથી, તીખો નથી, કડવો નથી, કસાયેલો નથી, ખાટો નથી, મીઠો નથી, કર્કશ નથી, કોમળ નથી, ભારે નથી, હળવો નથી, ઠંડો નથી, ગરમ નથી, ચીકણો નથી, રૂક્ષ નથી. તે મુક્તત્મા શરીરધારી નથી, પુનર્જન્મધારી નથી (અજન્મા છે) તે કર્મસંગ રહિત નિર્લેપ છે. તે સ્ત્રી નથી, પુરૂષ નથી અને નપુંસક નથી. તે મુક્તાત્મા જ્ઞાન - દર્શનયુક્ત છે પણ તેનું જ્ઞાન કરાવવા કોઈ ઉપમા નથી. તે અરૂપી, અમૂર્ત અસ્તિત્ત્વવાળા છે. તે પદાતીત, વચનથી અગોચર છે. તેનું જ્ઞાન કરાવવા કોઈ પદ નથી. આ પ્રમાણે તે સિદ્ધ ભગવાનને શબ્દ નથી, રૂપ નથી, રસ નથી અને સ્પર્શ નથી. આ પ્રમાણે સિદ્ધોનું સ્વરૂપ છે.”
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy