SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – અનશન લઈને ઘણા જીવ ઉત્તર દિશામાં જયોતિષીમાં ઉપજે છે આ બધા કારણથી જ્યોતિષી દેવો ઉત્તર દિશામાં વધારે છે. ૪૬૮ હવઈ વ્યમાની ભાવ રે, સુધર્મ ઈસ્યાન, સનતકુમાર ત્રીજો સુણ્યો, એણિ પરિ રાજય કરતા રે... ભાવાર્થ – હવે તેમાનિક દેવના ભાવ કહે છે. સૌધર્મ, ઈશાન અને ત્રીજા સનતકુમાર વિમાનના દેવના ભાવ સૂણો.. ૪૬૯ મહેન્દ્ર ચોથું જયાદિ રે, પૂર્વ પચ્છમિં, સુર થોડા એ બેહું દસિ એ. ભાવાર્થ – ચોથા મહેન્દ્ર એ ચારેમાં પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં દેવ થોડા હોય. ૪૭૦ તેહથઈ ઉતરિ દેવ રે, અસંખ્યગુણા વલી, વ્યમાન પ્રોઢ ઘણાં વલી એ. ભાવાર્થ – તેનાથી ઉત્તર દિશામાં દેવ અસંખ્યાતગુણા વધારે કારણ કે ત્યાંના વિમાન ઘણા પહોળા (મોટા) છે. ૪૭૧ તેહપઈ ઝાઝા દેવ રે, દખ્યણની દસિં, વ્યમાન ઘણા તે કારણિ એ. ભાવાર્થ – તેનાથી દક્ષિણ દિશામાં ઝાઝા દેવ છે તે દિશામાં વિમાન ઘણા છે તે કારણે. ૪૭૨ ક્રષ્નાખી બહુ જીવ રે, દખ્યણની દસિ, દેવ પણઈ બહુ ઉપજઈ એ. ભાવાર્થ – કૃષ્ણપક્ષી જીવ દક્ષિણ દિશામાં દેવપણે બહુ ઉપજે છે માટે ત્યાં દેવના જીવો વધારે છે. ૪૭૩ બ્રહ્મદંતક નિ ચુકેર, સહઈસાર દેવલોક, ભાવકહુ ચ્યાહારે તણાં એ. ભાવાર્થ – બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસાર એ ચારે દેવલોકના ભાવ કહું ૪૭૪ પૂર્વ પચ્છીમ દોય રે, અનઈ વલી ઉતરિ, સુર થોડા શાહાસ્ત્રિ કહ્યા એ. ભાવાર્થ – પૂવોક્ત ચારે દેવલોકમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં દેવ થોડા હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૪૭૫ તેહથી અસંખ્યાતગુણાય રે, દખ્યણની દસિ, ક્રષ્નાખી બહું ઉપજઈ એ. ભાવાર્થ – તેનાથી અસંખ્યાતગુણા દક્ષિણ દિશામાં કૃષ્ણપક્ષી જીવો બહુ ઉપજે તેથી હોય.
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy